Latest

૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદરના પ્રવાસે

તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ કરશે પોરબંદરનો પ્રવાસ
સ્વચ્છતા અભિયાન સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદરના પ્રવાસે આવનાર છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાઈને પોરબંદર ખાતે દરિયાકિનારા ખાતે સફાઈ અભિયાનમાં સવારે ૬ વાગ્યે ભાગ લેશે.

ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે સવારે ૮ વાગ્યે કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરશે તથા પ્રાર્થના સભામાં ભાગ લેશે. કિર્તીમંદિર બાદ સુદામા ચોક ખાતે સવારે ૦૯ વાગ્યે શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લઇ સ્વચ્છતા અભિયાનમાં ફાળો આપશે. સવારે ૦૯:૩૦ વાગ્યે બિરલા હોલ, પોરબંદર ખાતે મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં હાજરી આપશે.

સવારે ૧૧ વાગ્યે શ્રી માંડવિયા ખાદીભંડાર ખાતે મુલાકાત લેશે અને ખાદીની ખરીદી કરશે. ત્યાંથી કમલાબાગ ખાતે નવી વ્યાયામશાળાનું લોકાર્પણ કર્યા બાદ કમલાબાગ ખાતે આવેલ નવીન ઈ-પોલીસચોકીની મુલાકાત લેશે.

બપોરે ૨ વાગ્યે શ્રી માંડવિયા કુતિયાણા ખાતે આવેલ ખાગેશ્રી ગામમાં નવીન પી.એચ.સી.નું લોકાર્પણ અને ગ્રામસભાને સંબોધન કરશે અને બ્લડ ડોનેશન કેમ્પ ખાતે હાજરી આપશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નશાબંધી સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે શહેરમાં બાઈક રેલીનું આયોજન કરી યુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત: પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે તા.૨/૧૦/૨૦૨૪ થી…

1 of 555

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *