Latest

શ્રાવણ માસના બીજા સોમવારે સ્વયંભૂ શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિર વલભીપુર ખાતે

શ્રાવણ માસના સોમવારે સવારેથી સાજની આરતી દરમિયાન બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું શિવાલય ખૂબ બહોળી સંખ્યામાં શિવ ભક્તો મંદિરના દર્શનાર્થે આવતા હોય ત્યારે ખાસ કરીને વલભીપુર થી એક કિલોમીટર જેવું દૂર મંદિર આવેલું છે

ખૂબ બહોળી સંખ્યામાં ભક્તો ચાલતા ચાલતા દર્શનાર્થે આવતા હોય ત્યારે તેમના માટે આજે ખાસ ફરાળી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું એક હજાર કરતાં વધુ ભક્તો એ પ્રસાદ લીધો હતો

બોટાદ સમાચાર તંત્રી શ્રી નીરજભાઈ દવે અને ધર્મેન્દ્રસિંહ સોલંકી દ્વારા તમામ શિવભક્તોને ઉપવાસ નિમિત્તે ફરાળી કચોરી પ્રસાદ તરીકે આપવામાં આવી હતી

સ્વયંભુ પ્રગટ શ્રી પ્રગટેશ્વર મહાદેવ નો ઈતિહાસ

આ શિવાલયનો ઈતિહાસ અચંબો પમાડે તેવો છે. વર્ષો પહેલા અહીં ખેતર હતુ ખેતરનાં માલીક હળ હાંકતા હળ અટકી ગયુ અને વિશાળ કાળા સ્ફટીક સમાન શિવલીંગ પ્રગટ થયુ.

તા.૨૭-૨-૧૯૪૧ નાં રોજ સ્વ.રાજકુમાર શ્રી મંગળસિંહજી વખતસિંહજી ગોહિલના સ્મરણાર્થે તેઓશ્રીના કુંવરાણી શ્રીબા કુંવરબા સાહેબ ખેરાળીવાળા એ અહીં સુંદર મંદિર બંધાવ્યુ હતુ,

આ શિવલીંગની તેજસ્વીતા જોઈને સરદાર વલ્લભભાઈ પટેલે વળા સ્ટેટ પાસે સોમનાથ માં સ્થાપીત કરવા આ શિવલીંગની માંગણી કરી હતી વળા સ્ટેટ તેમજ શિવ ભક્તો તેમજ શાસ્ત્રજ્ઞાનીઓના મત અનુસાર કોઈપણ શિવલીંગ સ્થાપીત થયા પછી ફેરવી શકાય નહી તેમજ સ્વયંભુ પ્રગટ થયેલ શિવલીંગ અહીંજ રહે તેવી લોક લાગણી પણ હતી આ શિવાલય પ્રગટેશ્વર મહાદેવ તરીકે પ્રસિધ્ધ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

રાજ્યના દૂર-દરાજના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળતી થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારના ગામોને વડાપ્રધાન…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *