Latest

ઝરીયા ગામે પ્રકૃતિ પ્રેમી યુવા ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કરાયુ

શિહોર તાલુકાના ઝરીયા ગામે પ્રકૃતિ પ્રેમી યુવાવર્ગ ટીમ (ગામમાં રહેતા અને ગામ બહાર રહેતા) લોકોના સહયોગથી આજે એક પ્રકૃતિનું કામ વૃક્ષારોપણ કરવામાં આવ્યું, આ કાર્યને પરિપૂર્ણ કરવા ગામના લોકોએ સ્વેચ્છીક ફાળાનું યોગદાન કરેલ છે

હાલ એક શરૂઆતના ભાગરૂપે જરીયાથી સાંઢડા રોડ,પીપરડી રોડ,સરવેડી રોડ અને ગામના પ્રગટેશ્વર મહાદેવ તળાવના તટ કિનારે મળીને કુલ 250 જેટલા વૃક્ષોનું પાંજરા સાથે રોપણ કરવામાં આવ્યુ વૃક્ષોમાં અલગ અલગ 20 પ્રકારના વૃક્ષ રોપવામાં આવ્યા ગામની સર્વ યુવા ટીમ દ્વારા ખૂબ જ હોશ થી આ કાર્યમાં સેવા કરવામાં આવી, અને ભુલાતું ન હોય તો ગામના “બાળ છોરુ” એ પણ ખૂબ જ આનંદથી આ કાર્યમાં ભાગ લીધો છે

પ્રગટેશ્વર મહાદેવ પર્યાવરણ ટીમ દ્વારા આ વૃક્ષોને ત્રણ થી ચાર વર્ષ સુધી ઉછેરવા માટે ની કાળજી રાખવાની કામગીરી સોંપવામાં આવી

રીપોર્ટ નિલેષ આહીર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો એવા “ગુજરાતના ગરબા”ને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યું

પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે પરંપરાગત ગરબા યોજી ઉજવણી કરવામા…

1 of 511

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *