Latest

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વરાછાના ધારાસભ્ય હડાદ ખાતે માનતા પૂરી કરવા આવ્યા, અંબાજી મંદિરમાં હવન કર્યો અને ગબ્બર ખાતે આરતીમાં જોડાયા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.હાલમા દિવાળીનો ઉત્સવ પર્વ ચાલી રહ્યાં છે,ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં માંઇ ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે,

ત્યારે આજે દેવ ઉઠી અગિયારસ છે, ત્યારે આજની લગ્નની સીઝન શરુ થઇ રહી છે, ત્યારે માંઇ ભક્તો ધજા અને હવન પૂજન કરાવી રહ્યાં છે ત્યારે આજે સુરત વરાછા ના ધારાસભ્ય કુમાર કાનાણી જેઓ પહેલા રાજ્ય સરકાર મા આરોગ્ય મંત્રી તરીકે પોતાની ફરજ નિભાવી છે, ત્યારે આજે તેઓ અંબાજી માતાજીના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરમાં તેમને અન્નકુટ આરતી મા પણ ભાગ લીધો હતો અને ગબ્બર ખાતે પણ આરતી મા જોડાયા હતા.

આજે સવારે અંબાજી મંદિરમાં કુમાર કાનાણી આવ્યા હતા અને અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવીને મંદીરની હવન શાળામાં હોમ હવન કરીને રાજ્યની સુખાકારી માટે આહુતિ આપી પ્રાર્થના કરી હતી.

એટલુજ નહિ આ પ્રસંગે હાલ તબક્કે ગુજરાત સહીત દેશભર મા ડબલ એન્જીન સરકાર વિકાસ કરી રહી છે અને નરેન્દ્ર મોદી વિકાસ કરી રહ્યાં છે. આગામી ગુજરાત સરકારમા મંત્રી મંડળ મા સમાવેશ કરવાના પ્રશ્ન સામે જણાવ્યુ હતું કે હું લોકો માટે કાર્ય કરું છુ અને માતાજી મને ઘણું આપ્યુ છે અને આગળ પણ માતાજીની કૃપા રહે તો બધું સારું થશે.

અંબાજી નજીક આવેલા હડાદ ગામે ભૈરવજી મંદીરના તેમને દર્શન કર્યાં હતા. ભૈરવજી મંદિરમા તેમનાં સમર્થકોએ માનતા માની હતી જે માનતા પુર્ણ કરવા કુમાર કાનાણી હડાદ આવ્યા હતા.

:- કોટેશ્વર મહાદેવ મંદિર ના દર્શન કર્યા :-

અંબાજી આવેલા પુર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ કોટેશ્વર મહાદેવ મંદિર ના દર્શન કરવા પહોચ્યાં હતા. અહી તેમને શિવ મંદિરમા શિવ પુજા કરી હતી

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *