Latest

રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સામાજિક એકતા માટે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

અમદાવાદ: 146 મી રથયાત્રા અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા હિન્દૂ-મુસ્લિમ સામાજિક એકતા અને સદભાવના માટે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથ ની રથયાત્રાના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ શાંતિપૂર્ણ રથયાત્રા માટે સજ્જ બનતી હોય છે. અને જમાલપુર ખાતે આ યાત્રા કૌમી એકતાના વાતાવરણમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો કરતી આવે છે.

એકતાનો એક રંગ ની પ્રતીતિ કરાવતી અમદાવાદ શહેર પોલીસ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા હિન્દૂ-મુસ્લિમ કૌમી એકતાના રંગે રંગાય તે ઉમદા હેતુ સાથે જગન્નાથ મંદિર જમાલપુર ખાતે એક રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૌમી એકતાનો રંગ જોવા મળ્યો હતો.

પોલીસના જવાનો તેમજ વિસ્તાર સહિત આસપાસના હિન્દૂ મુસ્લિમ આગેવાનો, સ્થાનિકોએ આ રક્તદાન શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં પોલીસ અધિકારી નીરજ બડગુર્જર, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, મંદિરના મહંત શ્રી સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું. આ રક્તનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકો માટે તેમજ થેલેસમિયા ગ્રસ્ત દર્દીઓ માટે કરવામાં આવશે.

આ મહા રક્તદાન શિબિર એક હજાર ઉપર રક્તદાન બોટલ એકત્ર કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથ ની 146 મી રથયાત્રા નજીક આવી રહી છે અને તે કૌમી ઉલ્લાસ અને એખલાસ સાથે ભવ્ય રીતે ઉજવી પૂર્ણ થાય તેવો પ્રયાસ સદૈવ હિન્દૂ-મુસ્લિમ જનતા અને અમદાવાદ શહેર પોલીસનો રહેતો આવ્યો છે જે સરાહનીય બાબત કહી શકાય.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *