Latest

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર સંચાલિત શ્રી ઉત્તમ એન.ભુતા બ્લડ બેન્ક દ્વારા 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે રક્તદાન શિબિર નું આયોજન કરાયું

બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી રક્તદાતા દિવસની ઉજવણી કરી.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર સંચાલિત શ્રી ઉત્તમ એન.ભુતા બ્લડ બેન્ક દ્વારા 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે રક્તદાન શિબિર નું આયોજન આજ રોજ તારીખ: 14/06/2023 ને બુધવાર ના રોજ રેડક્રોસ ભવન ,દિવાનપરા રોડ, બાર્ટન લાઈબ્રેરી સામે, ભાવનગર ખાતે શ્રી ઉત્તમ એન.ભુતા-રેડક્રોસ બ્લડ સેન્ટર (રેડક્રોસ બ્લડ બેન્ક) માં રાખેલ જેમાં બહોળી સંખ્યા માં સ્વૈચ્છિક રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું.

દરેક રક્તદાતાઓ ને સન્માનપત્ર અને ભેટ થી સન્માનિત કરવા માં આવ્યા હતા. રેડક્રોસ સોસાયટી ના ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, ટ્રેઝરરશ્રી, સેક્રેટરીશ્રી, અને બ્લડ બેન્ક ટીમના સભ્યોએ ભારે જેહમત ઉઠાવી હતી તેમજ રક્તદાતાઓને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરેલ.
રેડક્રોસ બ્લડ બેન્ક ની વિશેષતા જોઈએ તો અહીં દર્દી ને જરૂરિયાત ના સમય માં સામે જમાં લીધા વગર રક્ત પૂરું પાડવા માં આવે છે.

નાની નાની રક્તદાન શિબિરો નું આયોજન કરી ને લોકો ને સામે જમા કરાવ્યા વગર લોહી આપવા માં આવે છે.વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે એ સંકલ્પ કરવો જોઈએ કે જરૂરિયાત ના સમય માં અને નિયમિત રીતે દર 3 મહિને રક્તદાન કરવું જોઈએ સૌને રેડક્રોસ બ્લડ બેન્ક, દિવાનપરા રોડ, બાર્ટન લાઈબ્રેરી સામે ભાવનગર ખાતે કોઈપણ ઉપક્રમે રક્તદાન કરવા આવવા નિમંત્રણ પાઠવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 581

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *