Latest

અંબાજી સરસ્વતી નદીના ઘાટ પર પ્રથમ વખત ઋષિકુમારો દ્વારા સામુહિક જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

શક્તિપીઠ અંબાજી દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.અંબાજી નજીક સાત કિલોમીટર દૂર કોટેશ્વર ધામ આવેલ છે. અહી કોટેશ્વર મહાદેવનું પ્રાચીન અને પૌરાણિક મંદીર આવેલું છે.

ભગવાન શિવનું આ મંદિર છે અહીં શ્રાવણ માસમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આજે રક્ષાબંધનનો પર્વ હોઈ સરસ્વતી નદીના ઘાટ ઉપર પ્રથમ વખત સંસ્કૃત પાઠ શાળાના ઋષિ કુમારો દ્વારા બ્રાહ્મણોની સામૂહિક જનોઈ બદલવાનું કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો હાજર રહ્યા હતા.

કોટેશ્વર ધામ ખાતે પ્રથમ વખત બ્રાહ્મણોની જનોઈ બદલવામાં આવી હતી.સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા સામુહિક જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો.શ્રાવણી ઉપકર્મ વર્ષમાં એક વખત આવે છે આ દિવસે જનોઈ બદલવામાં આવે છે.અહીથી સરસ્વતી નદી પહાડો માંથી નીકળીને આગળ વહે છે.

સરસ્વતી કુંડ પર શાસ્ત્રોત વિધિ વિધાનથી વિધિ યોજાઈ હતી.મોટી સંખ્યામાં ઋષિ કુમારો અને બ્રાહ્મણો જોડાયા હતા. કોટેશ્વર મહાદેવનું મંદિર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું મંદિર છે અહીં વાલ્મિકી આશ્રમ પણ આવેલો છે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો અહીં દર્શનાર્થી આવે છે ચારે તરફ અરવલ્લી ગિરિમાળાઓમાં આ પૌરાણિક તીર્થ સ્થળ આવેલ છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા SSC અને HSCની પરીક્ષા આપતા તમામ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા(પંચમહાલ):: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ…

1 of 584

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *