Breaking NewsLatest

શેત્રુંજી ડેમ ૯૯ ટકા ભરાતા પાલીતાણા અને તળાજા ૧૮ ગામો એલર્ટ કરાયા

ભાવનગર જિલ્લામાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમ ૯૯ ટકા ભરાતા પાલીતાણા અને તળાજા ૧૮ ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.

ભાવનગરના તા.૨૧/૦૭/૨૦૨૩ ના સાંજે 6 કલાકે જણાવ્યા મુજબ આપના તાલુકાનો શેત્રુંજી ડેમ ૯૯% ભરાઇ ગયેલ છે. હાલની સપાટી ૩૩ ફૂટ ૮૮ઇંચ છે અને પાણીની આવક ૮૧૧૭ કયૂસેક થયેલ હોય ડેમના હેઠવાસમાં તથા નદી કાંઠે આવેલ નીચે જણાવેલ મુજબના ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

સિંચાઇ યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટીમાં વધારો થયેલ છે. પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર, મેઢા અને તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર હેઠવાસમાં તથા શેત્રુંજી નદી કાંઠે આવતા ગામોના લોકોને નદીના પટમાં અવર- જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…

1 of 711

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *