Latest

અંબાજી મહામેળા ખાતે ખોવાયેલા લોકો માટે એનાઉન્સમેન્ટ પોઇન્ટની સુંદર કામગીરી,પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો અહીં કરે છે સુંદર કામગીરી

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠ પૈકી આધ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.

અંબાજી ખાતે હાલમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મહામેળામાં રોજના લાખો ભક્તો માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે અંબાજી 51 શકિતપીઠ સર્કલ પર આવેલો એનાઉન્સમેન્ટ પોઇન્ટ યાત્રિકો માટે ખૂબ મદદગાર સાબીત થઇ રહ્યો છે.

હાલમાં ચાલતા મા અંબાજીના મહામેળામાં લાખો ની સંખ્યામાં માનાં ભક્તો દેશનાં ખૂણે ખૂણે થી માં નાં દર્શને આવે છે અને આટલી વિશાળ માનવ મહેરામણમાં આવતા માઈ ભક્તો ક્યારેક સંજોગોવસાત પોતાના સ્વજનોથી વિખૂટા પડી જવા પામે છે .

આવા વિખૂટા પડેલા સ્વજનોને પોતાના પરિવાર પાસે પહોચાડવા અથવા તેમનો ભેટો કરાવવા માન. જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વહીવટી તંત્ર સાથે હર હંમેશ ની જેમ પ્રાથમિક શિક્ષક મિત્રો પણ રાત દિવસ આ ભગીરથ કાર્ય માં કાર્યરત રહીને વિખૂટા પડેલા સ્વજનો માટે આશીર્વાદ સમાન સતત એનાઉન્સમેન્ટ થકી માહિતી પૂરી પાડી રહેલ છે.

જેમાં વહીવટી સૂચનાઓ, મેળામાં રાખવાની સાવધાનીઓ, સ્વચ્છતા વગેરે બાબત ખૂબ સુંદર એનાઉન્સમેન્ટ થકી માં ની સેવા માં જોડાયા છે આજે તા – ૨૬.૯.૨૩ નાં રોજ અંબાજી પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા કેરોલીન બેન દ્વારા સુંદર અને સ્પષ્ટ આયોજન થકી સતત કાર્યશીલ રહેવા બદલ એનાઉન્સમેન્ટ કરાવવા આવતા દર્શનાર્થીઓ અને વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ પોઝિટીવ નોંધ લઈ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ધન્ય છે તમામ શિક્ષક મિત્રો જે સમાજ નો પાયો ઘડે છે અને વહીવટ તંત્રના તમામ ભગીરથ કર્યો માં ખભે થી ખભો મિલાવી ને પોતાની આગવી શૈલી અને વિશિષ્ટ પ્રતિભાનું પ્રદર્શન કરી ઉમદા સમાજ સેવામા હમેશા અવ્વલ રહે છે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *