જેમ- જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ-તેમ તેની ઉજવણીનો ઉત્સાહ અને ઉમંગ ભાવનગરમાં વધતો જાય છે.
મોટેરાઓ સાથે ભૂલકાઓ પણ તેમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગતના ’તિરંગા અભિયાન’ માં દેશ પ્રત્યેની અમીટ ભાવના સાથે જોડાઇ રહ્યાં છે. ત્યારે આજે ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ ’બાલોત્સવ’ સાથે ’તિરંગોત્સવ’ સાથે દેશભક્તિનો ઉમંગ અને ઉત્સાહ છવાયો હતો.

















