Latest

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા ૧૧૧ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર

મુંબઈ સ્થિત માનવ જ્યોત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટનાં સૌજન્યથી ૪૪૩ મો નેત્રયજ્ઞ

શ્રી સુધાબહેન શાહના સૌજન્ય થી સ્વ. કનુભાઈ  શાહની સ્મૃતિમાં ૪૪૨ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાયો હતો.

આ ઉપરાંત મુંબઈ સ્થિત માનવ જ્યોત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટનાં સૌજન્યથી ૪૪૩ મો નેત્રયજ્ઞ  શિશુવિહાર સંસ્થાના પ્રાંગણમાં યોજાયો હતો.

ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૧૧ દર્દીઓની આંખ તપાસ ડૉ. શ્રી સૌરવભાઈ મહાજનની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આ તમામ આંખના દર્દીઓને શિશુવિહાર પરિસરમાં ડૉ.  મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ ૨૮ દર્દીઓને કેટરેક્ટ (મોતિયાની) સર્જરી માટે તેમજ દર્દીઓના ૨૮ સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યાં હતાં.

દર્દી દેવો ભવની ભાવનાથી વર્ષ: ૧૯૬૮ થી ચાલતાં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ તથા નેત્રયજ્ઞનાં દાતા શ્રી રસેન્દુભાઈ ઓઝાએ સેવા આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *