Latest

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા ૧૧૧ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર

મુંબઈ સ્થિત માનવ જ્યોત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટનાં સૌજન્યથી ૪૪૩ મો નેત્રયજ્ઞ

શ્રી સુધાબહેન શાહના સૌજન્ય થી સ્વ. કનુભાઈ  શાહની સ્મૃતિમાં ૪૪૨ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાયો હતો.

આ ઉપરાંત મુંબઈ સ્થિત માનવ જ્યોત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટનાં સૌજન્યથી ૪૪૩ મો નેત્રયજ્ઞ  શિશુવિહાર સંસ્થાના પ્રાંગણમાં યોજાયો હતો.

ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૧૧ દર્દીઓની આંખ તપાસ ડૉ. શ્રી સૌરવભાઈ મહાજનની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આ તમામ આંખના દર્દીઓને શિશુવિહાર પરિસરમાં ડૉ.  મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ ૨૮ દર્દીઓને કેટરેક્ટ (મોતિયાની) સર્જરી માટે તેમજ દર્દીઓના ૨૮ સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યાં હતાં.

દર્દી દેવો ભવની ભાવનાથી વર્ષ: ૧૯૬૮ થી ચાલતાં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ તથા નેત્રયજ્ઞનાં દાતા શ્રી રસેન્દુભાઈ ઓઝાએ સેવા આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 608

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *