Latest

રવિવારની રજાની મજા સાથે સાયકલની સવારીનો આનંદ

પાલિતાણાની સરકારી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં ચાલતી સાયકલ ડ્રાઈવિંગ સ્કૂલમાં બાળકો સાયકલ શીખવા સાથે ટ્રાફિકના નિયમો પણ શીખે છે
——–
શાળા પ્રવેશોત્સવના અવસરે બે દિવસ પહેલા ભાવનગરના પાલિતાણાની સરકારી ઝવેરચંદ મેઘાણી શાળામાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે દાતાઓ દ્વારા સાયકલ ભેટ તરીકે આપવામાં આવી હતી.

શાળાનો અભ્યાસ ન બગડે અને તે સાથે-સાથે ઈતર પ્રવૃતિઓ પણ ચાલુ રહે તે માટે આ શાળાના શિક્ષકશ્રી નાથાભાઇ ચાવડાએ રવિવારના દિવસે શાળાની ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવીને શાળાના બાળકોને સાયકલ ચલાવતા શીખવવા સાથે ટ્રાફિકના નિયમોથી પણ બાળકો જાણકાર બને તે માટે આજે રવિવારની રજાનો સદુપયોગ કરીને બાળકોને આનંદ અને મોજ મસ્તી સાથે સાયકલની સવારીનો આનંદ કરાવ્યો હતો.

સાયકલ મારી સરરર જાય…. ટીન ..ટીન… ટોકરીના નાદ સાથે રવિવારની રજાની  મજા સાથે શારીરિક અને માનસિક વિકાસની પણ એક રીતે આજે શુભ શરૂઆત થઈ ચૂકી છે.

સરકારી એવી પાલીતાણા ની ઝવેરચંદ મેઘાણી શાળા સામાન્ય શાળા નથી. અહીં બાળ ઘડતર સાથે શારીરિક અને માનસિક ઘડતરનો પણ આદર્શ સ્વીકારીને વિદ્યાર્થી ઘડતરનો પ્રયાસ કરવામાં આવે છે.

ભાવનગર જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્યમાં આ પ્રથમ ઘટના હશે, જ્યાં શિક્ષક રવિવારે પણ બાળકોના સર્વાંગીણ વિકાસ માટે યથાગ પ્રયત્નો કરીને એક રીતે જાણીતી ઉક્તિ ‘ઘસાઈ ને ઉજળા થઈએ’ ને વાસ્તવમાં ચરિતાર્થ કરી રહ્યાં છે.

ચાલુ વર્ષે રાજ્યભરમાં યોજાયેલાં શાળા પ્રવેશોત્સવમાં લોકભાગીદારીથી રૂ. ૨૫ કરોડથી વધુની ચીજવસ્તુઓ વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે પ્રાપ્ત થઈ છે. તે અંતર્ગત લોકભાગીદારીથી મળેલ સાયકલ આ રીતે આદર્શ ઉપયોગ પણ થઈ રહ્યો છે.

આજનો વિદ્યાર્થી એ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે. તેથી વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક સાથે નૈતિક ગુણોનો વિકાસ થાય અને શારીરિક ચુસ્તી અને સ્ફૂર્તિ જળવાઇ રહે તેવા ઉમદા આશય સાથે શાળા સિવાયના સમયમાં પોતાનો કિંમતી સમય ફાળવીને શ્રી નાથાભાઇ ચાવડા યથાશક્તિ પ્રયત્નો કરી રહ્યાં છે.

હાલ તો નવી સાયકલ, નવી ઊર્જા, નવું સાહસ અને નવા પ્રયાસ સાથે બાળકો રજાની મજા સાથે સાયકલ સવારીનો આનંદ માણી રહ્યાં છે.
——–
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *