Latest

સુરત શહેર અને જિલ્લામાં પુષ્કળ ગતિએ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. વિતેલા ૨૪ કલાકમાં નવા ૯૦ કેસ નોંધાયા હતા. શહેરમાં ૫૬ કેસ અને જિલ્લામાં ૩૪ કેસ નોંધાયા હતા.

 

શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૦ કેસ સામે આવ્યા છે.ત્યારે શહેરમાં ૫૬ અને જિલ્લામાં ૩૪ પોઝિટિવ કેસ નોંધાયા હતા.ગત ૨૧ ફેબ્રુઆરીએ શહેરમાં ૨૧ કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ આવેલા ૫૬ નવા કેસ શહેરમાં આવ્યા છે. સુરત શહેર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ૫૦ થી વધુ કેસ સામે આવી રહ્યા છે. પંદર દિવસમાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો નોંધાયો છે ત્યારે છેલ્લા ૧૦૯ દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી.અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં ૨૦૫૫૧૬ કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી ૨૦૨૯૪૬ લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ ૨૨૪૦ લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યા હતા અને સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે.

સુરત જિલ્લામાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૦ કેસ

શહેરમાં ૫૬ અને જિલ્લામાં ૩૪ નવા કેસ નોંધાયા

છેલ્લા ૧૫ દિવસથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો

છેલ્લા ૧૦૯ દિવસથી એક દર્દીનું મોત થયું નથી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *