Latest

સ્વચ્છતા માટે શ્રમદાન


‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ ભાવનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા

મહાશ્રમદાનમાં પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયા

ભાવનગર જિલ્લામાં ‘એક તારીખ, એક કલાક’ અન્વયે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું સમગ્ર આયોજન જિલ્લાના આરોગ્ય કેન્દ્રો/આંગણવાડીઓ/શાળાઓ/વિવિધ કચેરીઓના પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારો, જિલ્લાની પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ કરવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લામાં મહાશ્રમદાનમાં પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા. તેમજ તા. ૧ ઓક્ટોબરના રોજ એક કલાક માટે શ્રમદાન કરવા એકત્ર થયા હતા. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ દીઠ બે સ્થળોએ શ્રમદાન કરવામાં આવ્યું હતું.

શ્રમદાન કરાયા બાદ કચરાનો વ્યવસ્થિત નિકાલ કરવામાં આવ્યો હતો અને ભાવનગર જિલ્લાના અનેક સ્થળોને સફાઇ કરીને સ્વચ્છતા હંમેશા જળવાઇ રહે તે માટે ગ્રામજનોએ સ્વચ્છતાના શપથ પણ લીધા હતા.

મહાશ્રમદાન થકી સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટને પ્રોત્સાહન મળે તે પ્રકારનો મુખ્ય અભિગમ રહેલ છે.ત્યારે આ અભિયાનમા સ્વૈચ્છિક રીતે જોડાઈ શ્રમદાન કરી આપણું ગામ, તાલુકો અને જિલ્લો તેમજ આપણા દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સંપૂર્ણ સ્વસ્થ અને સ્વચ્છ રહે તેવો નિર્ધાર સાથે લોકોએ શ્રમદાન કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *