Latest

ઉમરાળાના પ્રાણ પ્રશ્નોની મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરતા યુવા સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ

 

ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ દ્વારા તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી ઉમરાળા ગામ અને તાલુકાના મૂળભૂત અને પ્રાણ પ્રશ્નોની ધારદાર રજુઆત કરી હતી
ઉમરાળા ખાતે તાલુકા સેવા સદન નવું બિલ્ડિંગ નિર્માણ કાર્ય, ઉમરાળા ગામે વિજ્ઞાન પ્રવાહ બિલ્ડીંગ નિર્માણ,ઉમરાળા ગામ અને તાલુકાના રોડ રસ્તાઓને રિકર્પેટ કરાવવા,અને ઉમરાળાના વિકાસને લગતાં મુદ્દાઓ ઉપર ખૂબ ઊંડાણ પૂર્વક ચર્ચા કરી હતી ઉમરાળા સેવા સદન અને વિજ્ઞાન પ્રવાહ સ્કૂલના બિલ્ડીંગને મંજૂરી મળ્યાને વર્ષો વીતી ગયા છતાં કામ ચાલુ કરવામાં આવ્યુ નથી એ બાબતે સરપંચ ધર્મેન્દ્રભાઈ દ્વારા ધારદાર રજુઆત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સેવા સદન અને સાયન્સ સ્કૂલ બિલ્ડિંગના કામ તાત્કાલિક ચાલુ થાય એ માટે સચિવને આદેશ આપ્યા હતા અને વહેલી તકે કામ ચાલુ થશે એવી બાંહેધરી આપી હતી ઉમરાળા સરપંચ દ્વારા માત્ર 6 મહિનામાં થયેલ વિકાસના કાર્યો અંગે અભિનંદન આપ્યા હતા અને ઉમરાળાના વિકાસ માટે તમામ મદદની ખાતરી આપી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *