પોરબંદર તા.૨૬:પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના આહ્વાનને પ્રેરણા રૂપ માનીને પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે સખી મેળો-2025 નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદર સાંસદ શ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
૨૬ થી ૩૦ સપ્ટેમ્બરસુધી ચાલનારા આ મેળામાં પોરબંદર જિલ્લાના વિવિધ સખી મંડળોની બહેનો દ્વારા સ્વદેશી કળા, હસ્તકલા તથા પરંપરાગત વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. મેળાનો હેતુ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપી સ્વદેશી પ્રત્યે આકર્ષણ વધારવાનો છે. સાથે સાથે મહિલાઓને આત્મનિર્ભરતા તરફ દોરી જવા માટે આ મેળો એક મજબૂત મંચરૂપ બની રહ્યો છે.
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ મેળાની મુલાકાત લઈ વિવિધ સ્ટોલ પર બહેનો સાથે સંવાદ પણ કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી ચૌધરી, નાયબ મ્યુ કમિશનર શ્રી હર્ષ પટેલ,નાયબ મ્યુ કમિશનર શ્રી મનન ચતુર્વેદી, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન શ્રી આવડાભાઈ ઓડેદરા,જિલ્લા ભાજપ પ્રભારી શ્રી પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખશ્રી સાગરભાઇ મોદી,અગ્રણી અશોકભાઈ મોઢા તેમજ મહાનગરપાલિકા અને જિલ્લા તંત્રના કર્મચારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.