Latest

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કલોલમાં નવનિર્મિત લિમિટેડ હાઈટ સબવે (LHS) નું લોકાર્પણ કર્યું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજ્યમંત્રી, ગુજરાત સરકાર હર્ષ સંઘવી અને ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં 15 જાન્યુઆરી 2025 ના રોજ સઈજ ગામ, કલોલમાં ખોડિયાર-કલોલ રેલવે ખંડના લેવલ ક્રોસિંગ નંબર 233 પર નવનિર્મિત લિમિટેડ હાઈટ (LHS) સબવેનું લોકાર્પણ કર્યું.

આ પ્રસંગે મંડળ રેલવે પ્રબંધક સુધીર કુમાર શર્માએ જણાવ્યું કે અમદાવાદ ખોડિયાર-કલોલ રેલવે ખંડના લેવલ ક્રોસિંગ નંબર 233 પર 7 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે 25 મીટર બેરલ લાંબા નવનિર્મિત લિમિટેડ હાઈટ (LHS) સબવે જેનું લોકાર્પણ મંત્રીએ કર્યું.

આનાથી ટ્રેનોની બહેતર પંક્ચ્યુઅલિટીને મદદ મળશે, માર્ગ અવરજવરની કનેક્ટિવિટી ઝડપી થશે, રેલવે ફાટકો પર વાહનોના રોકાવાની સમસ્યાથી માર્ગ યાત્રીઓને રાહત મળશે.

આ સબવે શહેરના બંને ભાગો જેવા કે કલોલથી સેરથા-સઈજ ગામને નિર્વિરોધ જોડનારો સુરક્ષિત માર્ગ છે તથા આ સબવેના નિર્માણથી નિર્વિરોધ માર્ગ અવરજવરના કારણે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને પર્યાવરણ પ્રદૂષણ ઓછું થશે. આવનારા સમયમાં આ પ્રકારના અન્ય 5-6 RUB/ROB બનાવવામાં આવશે.

આ પ્રસંગે અમદાવાદ મંડળના મંડળ રેલવે પ્રબંધક સુધીર કુમાર શર્મા સહિત મંડળના વરિષ્ઠ રેલવે અધિકારીઓ અને અનેક ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 582

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *