Latest

વલ્લભીપુર નગરપાલિકામાં પ્રમુખ બદલાશે?

*વલ્લભીપુરમાં શાશક પક્ષના જ અમુક સભ્યો  પ્રમુખના વિરોધમાં*

વલ્લભીપુર નગરપાલિકામાં ઘણા લાંબા સમયથી નાના-મોટા વિવાદો ચાલી રહયા છે. ત્યારે હાલ બે દિવસથી પાલિકાના પ્રમુખને ઘર ભેગા કરવાની અમુક શાશક પક્ષના સભ્યો દ્વારા પ્રક્રિયા અથવા -મીટીંગ ચાલી રહી હોય તેવું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

ત્યારે હાલ શાશક પક્ષના અમુક સભ્યો લાંબા સમયથી નાના-મોટા મુદાઓને લઈ પાલિકાનો વહીવટ ડખોળવાના પ્રયત્ન કરી રહયા હોય અને ખોટા વહીવટ બંધ થવાથી આવી પ્રવૃતિ ચાલતી હોય  તેવું પણ પ્રમુખ ગ્રુપમાંથી જાણવા મળી રહ્યું છે.

ત્યારે આવી પરિસ્થિતિને લઇ દર વખતની જેમ  મોવડી મંડળનું ગમે ત્યારે ભાવનગર અથવા શિહોર તેડું આવે અને ધીના ઠામમાં ઘી પડી જશે તેવું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે.

તેમજ હાલ જીલ્લા પ્રમુખ પાસે આ વિવાદ બાબતે સમય ન હોય તેવું પણ જાણવા મળી રહયું છે.  જો જીલ્લા પ્રમુખ બે દિવસમાં ઉકેલ નહિ લાવે તો નવા -જૂની થશે તેવું ભાજપાના બને જૂથોના સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે બોટાદ વાળી થાય તો પણ નવાય નથી ત્યારે જીલ્લા પ્રમુખનું હબ ગણાતું વલ્લભીપુર પાલિકામાં જો પરિસ્થિતિ ખરાબ થશે તો આબરૂ જશે તેવું પણ લોક મુખે ચર્ચાઈ રહયું છે.

રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *