Latest

વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેશમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અભિયાન હેઠળ આયોજિત ભવ્ય તિરંગા યાત્રાનું મહાનુભાવોએ પ્રાંત કચેરી ખંભાળિયા ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.

દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી તિરંગા યાત્રા પ્રાંત કચેરીથી શરૂ થઈ જી.વી.જે હાઈસ્કૂલ, નગર નાકા થઈ બેઠક રોડ થઈ પ્રાંત કચેરી ખાતે સમાપ્ત થઈ હતી. સમગ્ર યાત્રાના રૂટ પર વંદે માતરમ, ભારત માતા કી જય સહિતના દેશભક્તિના ગીતોએ લોકોમાં અનેરો ઉત્સાહ સ્ફૂર્યો હતો.

આ તિરંગા યાત્રામાં પૂર્વે શ્રી રાજશક્તિ રાસ મંડળ, શ્રી રાધે રાસ મંડળ તથા કૃષ્ણ કાળાવૃંદ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતાં. જે નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. ઉપરાંત મહાનુભાવોએ નશા મુક્ત ભારત અભિયાન, સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.

ડીજેના તાલે ‘મેરી શાન તિરંગા’, ‘મેરા મુલ્ક મેરા દેશ’, ‘વંદેમાતરમ્’, ‘સારે જહાં સે અચ્છા’, ‘એ મેરે વતન કે લોગો’ સહિતના ગીતોથી ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર દેશભક્તિનો માહોલ ઉભો થયો હતો.

આ ભવ્ય તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, મામલતદાર સુરેશ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી કે.વી.શેરઠીયા, અગ્રણી સર્વે મયુરભાઈ ગઢવી, એભાભાઈ કરમૂર, સંજયભાઈ નકુમ, રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોજિયા, રેખાબેન ખેતિયા સહિત વિધાર્થીઓ, પોલીસ સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ, પ્રબુધ્ધ નાગરિકો સહિત નગરજનો જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’

દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર

પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…

ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું

પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય…

1 of 613

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *