Latest

તારાપુર ખાતે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આરોગ્ય વિભાગની ઉત્તમ કમગીરી

કાર્યક્રમ દરમિયાન ૨૭૦ લોકોને ઓ.પી.ડી. સેવાઓનો લાભ પ્રાપ્ત થયો

આણંદ, શુક્રવાર :: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી સરકારી યોજનાઓના માધ્યમથી છેવાડાના માનવીનો સર્વગ્રાહી વિકાસ કરવાના ઉદ્દેશ્ય સાથે તા. ૧૫ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત રાજ્યના વિવિધ ભાગોમાં કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રારૂપી જનઆંદોલન અંતર્ગત આણંદના જિલ્લાના તારાપુર તાલુકા કુમાર શાળા ખાતે સોજીત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અંતર્ગત શાળાના પટાંગણમાં સરકારની યોજનાઓની માહિતી અને સેવાઓ ગ્રામજનો સરળતાથી મેળવી શકે તે માટે વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં. જેની ગ્રામજનો દ્વારા મુલાકાત તથા લાભ લેવામાં આવ્યો હતો.

આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ દરમિયાન શાળાના પટાંગણમાં તારાપુર આરોગ્ય વિભાગના સહકાર અને માર્ગદર્શન હેઠળ બુધેજ પી.એચ.સી. દ્વારા આરોગ્ય કેમ્પમાં કુલ ૨૭૦ લોકોએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો હતો. તેમજ ૧૨૪ લોકોએ બ્લડપ્રેશર, ૧૧૨ લોકોએ ડાયાબીટીઝ અને ૧૧૨ લોકોએ ટી.બી.નું નિદાન કરાવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૫ આરોગ્યકર્મીઓએ લોકોને માર્ગદર્શન અને માહિતી આપી આરોગ્ય સેવા પ્રદાન કરી હતી.

રાજ્યના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં યોજાઇ રહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગોને સંલગ્ન સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લોકો સુધી સરળતાથી પહોંચાડવા વિવિધ સ્ટોલ્સ ઉભા કરવામાં આવી રહ્યાં છે. આ સ્ટોલ્સ અને કેમ્પના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોના અને છેવાડાના માનવી સુધી અનેકવિધ સરકારની યોજનાકીય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની રહી છે.

રિપોટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *