Latest

અંબાજી ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.

આપણા દેશમાં અને વિશ્વ મા અલગ અલગ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી અંબાજી ખાતે આવેલા બીઆરસી ભવન ખાતે કરવામા આવી હતી. મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં વિકલાંગ લોકો આવ્યા હતા અને વિકલાંગ લોકો ને સરકાર તરફથી મળતી સહાય લાભોની પણ માહિતી આપવામાં આવી હતી.

આજના આ કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને મોટા લોકો પણ જોડાયા હતા. વિકલાંગ લોકો દૂર દૂરથી આ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. આજના કાર્યક્રમમાં વાંચન લેખન, ચિત્રકાર્ય, ઇન્ડોર આઉટડોર ગેમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

બનાસકાંઠા જિલ્લામાં આવેલી પાલનપુરની સમાજ – સુરક્ષા કચેરી દ્વારા બાળકો અને વાલીઓને સહાય ની માહિતી પણ આપવામાં આવી હતી. બાળકોનું સમાજમાં સ્વીકાર કરવામાં આવે અને પુનઃવસન થઈ શકે તે વિષે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યુ.

પ્રહલાદ પુજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *