Politics

જૂનાગઢના ખડીયા ગામે ઇકોસેંસેટીવ ઝોનના નામે વેપારીઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવતા, આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલની આગેવાનીમાં આવેદનપત્ર અપાયું.

હાલ સરકાર પોતાની તિજોરીઓ ભરવા માટે વેપારીઓને દંડ ફટકારવાના નિયમો લાવી રહી છે: રેશ્મા પટેલ

જે વેપારીઓ લોન લઈને નાનો મોટો ધંધો કરે છે, તેમના પેટ પર લાત મારવા જેવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે: રેશ્મા પટેલ

અમારી માંગણી છે કે આવા નિયમોમાં ફેરફાર કરીને વેપારીઓને રાહત આપવામાં આવે: રેશ્મા પટેલ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે ખડિયા ગામમાં વેપારીઓએ અને આમ આદમી પાર્ટીએ સાથે મળીને ખડીયા ગ્રામ પંચાયતમાં એક આવેદનપત્ર આપ્યું છે.

હાલ જૂનાગઢના 27 ગામોને ઇકોસેંસેટીવ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમાનું એક ખડિયા ગામ છે અને ઇકોસેંસેટીવ ઝોનના નામે આજે વ્યાપારીઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

  વેપારીઓને જણાવવામાં આવ્યું છે કે ફૂડ પેકેટના પડીકા, દૂધની કોથળીઓ અને પ્લાસ્ટિકની બોટલો જેવી ચીજ વસ્તુઓ તેઓ વેચી શકતા નથી. અને તલાટી-મંત્રીના સહીવાળી પહોંચ આપવામાં આવી છે.

આજે આવેદનપત્ર આપીને અમે જણાવ્યું છે કે તંત્રના આવા નિયમો અમને મંજૂર નથી. જે વેપારીઓ લોન લઈને નાનો મોટો ધંધો કરે છે, તેમના પેટ પર લાત મારવા જેવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે.

અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે ઇકોસેંસેટીવ ઝોનમાં આવતા ગામડાઓમાં અને ખાસ કરીને ખડીયા ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને મોટા પ્રમાણમાં ડસ્ટબીન મૂકવામાં આવે. હાલ સરકાર પોતાની તિજોરીઓ ભરવા માટે આવા નિયમો લાવી રહી છે.

અમારી માંગણી છે કે આવા નિયમોમાં ફેરફાર કરીને વેપારીઓને રાહત આપવામાં આવે. અમારી એ પણ માંગણી છે કે આ મુદ્દે સરકાર દ્વારા જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *