Politics

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ખાલી કેનાલમાં આમ આદમી પાર્ટીએ અલગ રીતે ખો-ખો રમત રમી વિરોધ દર્શાવ્યો હતો.

 

 

હળવદ તાલુકામાંથી પસાર થતી નર્મદા નહેર ખાલી હોવાથી ખેડૂતોના હિતમાં આજે આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને પાણી આપો ન્યાય આપોના નારા સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું

આમ આદમી પાર્ટી હળવદ દ્વારા હળવદ – ધ્રાંગધ્રા તાલુકા માંથી પસાર થતી નર્મદા કેનલ ઘણા સમયથી બંધ છે ખેડૂતો ને સિંચાઇ માટે પાણી છોડવા માં નથી આવતું ત્યારે ખેડૂતો દ્વારા સરકાર ને અનેક રજૂઆતો કરી છતાંય ખેડૂતોને સરકાર તરફથી સંતોષકારક જવાબ ન મળવાથી આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો ને સાથે રાખીને કોયબા ગામ પાસે કેનાલમાં સરકાર જેમ ખેડૂતોને ખો આપી રહી છે તેમ કેનાલની અંદર ખો રમત રમી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો અને મામલતદાર કચેરીએ ઉગ્ર સુત્રોચ્ચાર કરી અને મામલતદાર ને પાણી છોડવા માટે અર્ધનગ્ન હાલતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં આમ આદમી પાર્ટી કિસાન પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાની હેઠળ તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા તથા સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેશભાઈ ના માર્ગદર્શન હેઠળ હળવદ વિધાનસભા સંગઠન મંત્રી હિતેશભાઈ વરમોરા, ચંદુભાઈ મોરી તથા વિપુલભાઈ રબારી, એચ. કે પટેલ,ધનશ્યામભાઈ ભુવા, ભરતભાઈ પટેલ,ખુમાનભાઈ રાજપૂત,બાબુભાઈ મકવાણા,ભરતભાઈ મકવાણા,જાદુભાઈ ઠાકોર તથા હળવદ તાલુકાના અનેક ગામના ખેડૂતો જોડાયા હતા…

અભિષેક પારેખ રિપોટર મોરબી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *