Politics

કૉંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિનું અપમાન કરાતા જામનગર શહેર ભાજપ દ્વારા યોજાયો ધરણા કાર્યક્રમ

જામનગર: કોંગ્રેસપક્ષના લોકસભાના નેતા શ્રી અધિર રંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી મહામહીમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે “રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્ની” જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ ઇરાદાપૂર્વક કર્યો છે તેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી, જામનગર મહાનગર દ્વારા લાલ બંગલા ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવેલ. સોનિયા ગાંધી આ તબબકે માફી માંગે તેવી માંગ કરવામાં આવેલ.

આ ધરણા પ્રદર્શનમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બામણિયા, વિજયસિંહ જેઠવા, પૂર્વ રાજયમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, શાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કટારીયા, પૂર્વ પ્રમુખ હિતેનભાઈ ભટ્ટ, મુકેશ દાશાણી, ભાજપ અગ્રણી જીતુભાઇ લાલ, સહિત કોર્પોરેટરો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ધરણા પ્રદર્શન કરેલ.

ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના સહકન્વીનર દીપાબેન સોનીની અખબારી યાદીમાં જણાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *