Breaking NewsLatest

આરોગ્ય સુખાકારી માટે પહેલ. સી.એચ.સી લાલપુરને સાંસદ પૂનમબેન માડમના હસ્તે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી.

જામનગર: સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે સરકારશ્રી તથા ન્યારા એનર્જીના સહયોગથી પ્રાપ્ત થયેલ એમ્બ્યુલન્સને સી.એચ.સી લાલપુરને અર્પણ કરવામાં આવી હતી.
આ તકે સાંસદ શ્રીએ જણાવ્યું હતું કે, કોવિડની મહામારી દરમિયાન સી.એચ.સી લાલપુર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે ત્યારે સી.એચ.સી લાલપુરની કામગીરીને વધુ સુલભ બનાવી શકાય તે માટે એક એમ્બ્યુલન્સની આવશ્યકતા હતી જે આજરોજ ન્યારા એનર્જી દ્વારા આપવામાં આવી છે. આવા સુંદર લોકોપયોગી કાર્યો માટે કંપનીનું કદમ અભિનંદનને પાત્ર છે, સાથે જ કોવિડ સંક્રમણને રોકવા માટે વેક્સિનેશનએ જ અસરકારક હથિયાર છે ત્યારે તમામ લોકો કોવિડની રસી લઇ આ રોગથી બચે. આગામી ૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પહેલા જામનગર જિલ્લાના ૧૨૫ ગ્રામ્ય વિસ્તારોમાં સો ટકા રસીકરણ પૂર્ણ થશે અને આ માટે તમામ સમાજના લોકો સાથ અને સહકાર આપી રસીકરણ અભિયાનમાં જોડાય તેવી અભ્યર્થના સાંસદ શ્રીએ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયાએ કહ્યું હતું કે, લોકો તંદુરસ્ત રહે એમ્બ્યુલન્સનો વધુ ઉપયોગ ન કરવો પડે તેવી પ્રાર્થના પ્રભુને કરી હતી, પરંતુ આ મહામારી દરમિયાન અને હવે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે લાલપુરને એમ્બ્યુલન્સ સાથે જ જામજોધપુરને પણ ઓક્સિજનનો પ્લાન્ટ મળેલ છે તો આવી તકેદારીઓ સાથે હવે જામનગર ત્રીજી લહેર સામે લડવા સજ્જ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,નાગરિકો દ્વારા તથા આગેવાનો દ્વારા બીજા વેવ દરમિયાન સીએચસી લાલપુરની કામગીરી સારી હોવાને લીધે જીજી હોસ્પિટલના ભારણમાં ઘટાડો થયો હતો. અને સારી સેવાને કારણે દર્દીઓ સીએચસી લાલપુરમા પણ કોવીડ-૧૯ના ગંભીર કેસોમા સારવાર ઉપલબ્ધ કરાવી હતી. ત્યારે સાંસદને તથા પદાધિકારીઓને જણાયું કે લાલપુર સીએચસી વધારાની એમ્બ્યુલન્સની ખાસ જરુર છે.આ આહવાન સાંસદના માધ્યમથી ન્યારા એનર્જી ની કરતા માનવસેવા ભાગ રૂપે ન્યારા એનર્જીએ આ એમ્બ્યુલન્સ ની ભેટ આપી. સરકાર દ્વારા અને વડાપ્રધાનશ્રીની દીર્ઘદષ્ટિને કારણે હાલ દેશમાં દરેક જિલ્લામાં મેડીકલ કોલેજ બની રહી છે. જે દેશમાં તબીબોની ઘટ સત્વરે પૂરી પાડશે. ન્યારા એનર્જી દ્વારા આવા આરોગ્ય ક્ષેત્રે યોગદાન આપવા હંમેશા તત્પરતા બતાવી છે. તે સેવાને સાંસદશ્રી દ્વારા બિરદાવવામાં આવી હતી.


આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી જગદીશભાઈ, સિંચાઇ સમિતિના ચેરમેન શ્રી વિનોદભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી કે.બી.ગાગીયા, લાલપુર ગામના સરપંચ શ્રી સમીરભાઈ, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધનાભાઈ તેમજ ન્યારા એનર્જીના વાઇસ ચેરમેન શ્રી દિપકભાઈ અરોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ.જી. બથવાર, સી.એચ.સી લાલપુરના અધિક્ષકશ્રી ડો. દિપ્તીબેન જોશી વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *