Breaking NewsLatest

પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક: અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય “ભૂપેન્દ્ર પટેલ” બન્યા ગુજરાતના 17માં મુખ્યમંત્રી.

ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે છેલ્લા 24 કલાકથી ચાલતી અટકળોનો આજે અંત આવી ગયો.. ગુજરાતના 17 માં મુખ્યમંત્રી તરીકે અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી.

શનિવારના રોજ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ ગુજરાત સહિત દેશ અને વિદેશમાં હવે ગુજરાતના નવા સીએમ કોણ બનશે તેના ઉપર સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત થયું હતું અને અનેક નામોની ચર્ચા પણ થવા લાગી હતી.

તમામ લોકોના મોંઢે નીતિન પટેલ, મનસુખ મંડવીયા, આર.સી. ફળદુ, પ્રફુલ પટેલ, ગોરધન ઝડફિયા, CR પાટીલના ચાલતા નામો વચ્ચે કમલમ ખાતે પહેલા કોર કમિટીની બેઠક અને ત્યાર બાદ ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં કમલમ ખાતે વિજય રૂપાણી દ્વારા જ તેમના પુરોગામી તરીકે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની જાહેરાત કરવામાં આવી.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોના પરિણામમાં સૌથી વધુ 1.17 લાખની લીડ સાથે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી મેળવ્યું હતું.

રૂપાણી સરકાર જતા ની સાથે પીએમ મોદી અને અમિત શાહે ફરી બધાને સરપ્રાઈઝ આપી છે ચર્ચાતા તમામ નામો ઉપર ચોકડી મારી નવા ચહેરા તરીકે ગુજરાતની ગાદી ઉપર પાટીદાર નેતા ભુપેન્દ્રસિંહ પટેલને બિરાજમાન કરી ગુજરાતના મુખ્યમંત્રી બનાવી ગુજરાતની કમાન આપી દીધી છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોરોના કાળમાં સરાહનીય કમિગીરી બજાવી હતી. તેઓ પોતે પણ કોરોના સંક્રમિત થયા હતા. 50 બાળકોનો તમામ ખર્ચ તેઓએ ઉપાડી લીધો હતો. તેઓ ઓડામાં કમિશનર પણ રહી ચૂક્યા છે. આમ ગુજરાતને પીએમ મોદીએ ફરી સરપ્રાઈઝ આપી પાટીદારનું વર્ચસ્વ ગુજરાતની ગાદી ઉપર ફરી વાર સવાયું કરી દેવામાં આવ્યું છે. એકદમ નિખાલસ ડાઉન ટુ અર્થ ગણાતા ભુપેન્દ્ર પટેલને ગુજરાતનું સુકાન સંભાળવાનો અવસર મળ્યો છે. ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રીને ખૂબ ખૂબ અભિનંદન..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *