Breaking NewsLatest

અંબાજીમાં ભાદરવી મેળો રદ પણ માઇભક્તોનો પ્રવાહ અવિરત જારી

બાધા, આખડી અને માનતા હોય તેવા માઇભક્તો ને દર્શન કરવાની મંજૂરી અપાઈ.

દૂર ના અંતરે થી નીકળેલા પદયાત્રી સંઘો જાણે ઉતાવળે ઉતાવળે અંબાજી જવાની હોધ માં દુર્ગમ ઘાટી પસાર કરતા જોવા મળ્યા હતા.

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ ના મેળા ને લઈ રાજ્ય ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.જેનું ખોટું અર્થઘટન થતા અંબાજી મંદિર 25 સપ્ટેમ્બર સુધી બંદ રહશે તેવો સોશ્યિલ મીડિયા માં મેસેજ વાઇરલ થયો છે.જોકે વાસ્તવમાં અંબાજી મંદિર બંદ નહીં રહે પરંતુ મેળો રદ કરાયો હુવાનું અને બાધા, આખડી અને માનતા હોય તેવા માઇભક્તો ને દર્શન કરવાની મંજૂરી આપાઈ હોવાનું અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ના  વહીવટદારે જણાવ્યું હતું.

યાત્રાધામ અંબાજી માં ભાદરવી પૂનમ નો મેળો યોજાશે કે નહીં તેને લઈને  છેલ્લે સુધી અસમંજસ રહી હતી. દરમિયાન15 સપ્ટેમ્બરે રાજ્ય ના ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પડયો હતો.આ અંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટદાર એસ. જે. ચાવડા એ જણાવ્યું હતું કે પરિપત્ર નું ખોટું અર્થઘટન થતા અંબાજી મંદિર 25 સપ્ટેમ્બર સુધી બંદ રહેશે તેવો  સોશ્યિલ મીડિયા માં મેસજ વાઇરલ થયો છે. જોકે, વાસ્તવમાં અંબાજી મંદિર બંદ નહિ રહે પરંતુ  મેળો રદ કરાયો છે. જ્યાં બાધા, આખડી અને માનતા હોય તેવા માઇભક્તો દર્શન કરી શકશે.ત્યારે મેળા ની અસમંજસ વચ્ચે વહેલા અંબાજી આવી દર્શન કરી ચૂકેલા માઇભક્તોમાં તંત્ર ની નીતિ સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.કે આવી જાહેરાત અગાઉ થી કેમ કરવામાં આવી ન હતી. એટલું જ ભાદરવી પૂનમના દર્શન થી વંચિત રહેવા અંગે પણ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.

માર્ગ માં કોઈ અગવડ ના પડે તે માટે અંબાજી ને સંકળાયેલા માર્ગો પર ઠેર-ઠેર ચા-પાણી, નાસ્તો તેમજ વિસામાં માટે કેમ્પો પણ શરૂ કરવામાં આવ્યા છે.

માતાજી ના ભંડારમાં બે દિવસમાં રૂ.20 લાખ ની આવક,90000 પ્રસાદ ના પેકેટ નું વિતરણ


વર્ષ 2019 ની તુલના કરતા એસ  ટી વિભાગ ના સૂત્રો દ્વારા મળેલ વિગત મુજબ મેળાની શરૂવાતના બે દિવસમાં  165000 જેટલી આવક થવા પામી હતી .ત્યારબાદ અગિયારસ થી તેરસ સુધી નોંધપાત્ર વધારો આવક માંજોવા મળ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે છેલ્લા 2 દિવસમાં  12 લાખ જેટલી આવક નોંધાઈ છે.મંદિર માં વર્ષ 2019 માં મેળા ના પ્રથમ દિને 61 લાખ ની આવક અને 3 લાખ પ્રસાદ ના પેકેટ નું વિતરણ થવા પામ્યું હતું.બીજા દિને 71 લાખ ની આવક અને 5 લાખ પ્રસાદ ના પેકેટ નું વિતરણ થવા પામ્યું હતુ. ચાલુ વર્ષ મેળો રદ કરાયો છે. પરંતુ ભક્તજનો માટે કોવિડ ગાઈડલાઈન મુજબ દર્શન ચાલુ છે.જ્યાં બે દિવસમાં મંદિર ના ભંડાર ગણતરીમાં 18 લાખ જેટલી આવક જ્યારે બે દિવસમાં   પ્રસાદ ના 70000 જેટલા પેકેટ નું વિતરણ કરાયું છે.

પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

1 of 702

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *