Breaking NewsLatest

ગબ્બર કાળ ભૈરવ મંદિર ખાતે કઢી ખીચડી નો ભંડારો શરૂ કરાયો

શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગતજનની માં અંબાનું પ્રાચીન તીર્થ છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે હાલમાં ભક્તો નો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક સેવાભાવી સંસ્થા દ્વારા ભક્તો માટે વીના મૂલ્યે ભોજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, ત્યારે ગબ્બર ચાલતા આવતા અને ઉતરતા ભક્તો માટે વીના મૂલ્યે કઢી ખીચડી નો પ્રસાદ કલોલ ના ભક્તો દ્વારા કાલ ભૈરવ મંદિર ખાતે શરૂ કરવામાં આવ્યો છે.


16 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર સુધી ગબ્બર ખાતે આવતા ભકતો માટે કાલ ભૈરવ મંદિર ગબ્બર તરફથી વીના મૂલ્યે ભોજનનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં બપોરે અને સાંજે કઢી ખીચડી ભકતોને ગરમા ગરમ ભંડારા મા આપવામાં આવી રહી છે. ગબ્બર કાલ ભૈરવ મંદિર ના મહંત શ્રી પૂર્ણાનંદ ગીરીબાપુ અને સેવક વિનોદગીરી દ્વારા ભકતોને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.અહી સ્વયમસેવકો પણ ખડે પગે સેવા આપી રહ્યા છે. 🎉20 સપ્ટેમ્બર સુધી ભક્તો અહી પહાડ પર પ્રસાદ ભંડારા નો લાભ લઇ શકશે.

પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *