Breaking NewsLatest

ગબ્બર કાળ ભૈરવ મંદિર ખાતે કઢી ખીચડી નો ભંડારો શરૂ કરાયો

શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગતજનની માં અંબાનું પ્રાચીન તીર્થ છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે હાલમાં ભક્તો નો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક સેવાભાવી સંસ્થા દ્વારા ભક્તો માટે વીના મૂલ્યે ભોજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, ત્યારે ગબ્બર ચાલતા આવતા અને ઉતરતા ભક્તો માટે વીના મૂલ્યે કઢી ખીચડી નો પ્રસાદ કલોલ ના ભક્તો દ્વારા કાલ ભૈરવ મંદિર ખાતે શરૂ કરવામાં આવ્યો છે.


16 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર સુધી ગબ્બર ખાતે આવતા ભકતો માટે કાલ ભૈરવ મંદિર ગબ્બર તરફથી વીના મૂલ્યે ભોજનનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં બપોરે અને સાંજે કઢી ખીચડી ભકતોને ગરમા ગરમ ભંડારા મા આપવામાં આવી રહી છે. ગબ્બર કાલ ભૈરવ મંદિર ના મહંત શ્રી પૂર્ણાનંદ ગીરીબાપુ અને સેવક વિનોદગીરી દ્વારા ભકતોને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.અહી સ્વયમસેવકો પણ ખડે પગે સેવા આપી રહ્યા છે. 🎉20 સપ્ટેમ્બર સુધી ભક્તો અહી પહાડ પર પ્રસાદ ભંડારા નો લાભ લઇ શકશે.

પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 725

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *