Breaking NewsLatest

અંબાજી મંદિર મા સવારની આરતીમા ભાજપ ના અને સાંજ ની આરતીમાં કોંગ્રેસ ના નેતા આવ્યા

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. તાજેતરમા ભાદરવી મહાકુંભ સુખ સપન્ન રીતે પુર્ણ થયો હતો અને હાલમાં અંબાજી ખાતે વીઆઇપી લોકો માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજે સાંજે કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા અને સરલ પટેલ, સોશીયલ મીડીયા ઓલ ઈન્ડિયા કનવીનર અંબાજી મંદિરની સાંજ ની આરતી મા પહોચ્યા હતા અને માતાજીનાં દર્શન કર્યા હતા.
ગુરૂવારે સવારે મંગળા આરતી મા ગુજરાતનાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યાં હતા અને માતાજીનાં દર્શન કર્યા હતા અને ગુરૂવારે સાંજે અંબાજી મંદિર ખાતે સાંજની આરતીમા કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા અંબાજી માતાજીનાં દર્શન કર્યા હતા અને મંદિરના મહારાજ દ્વારા શ્રી યંત્ર સ્મૃતિ ચિન્હ રૂપે આપવામાં આવ્યું હતું. તેમની સાથે બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ દિનેશ ગઢવી, દાંતા ધારાસભ્ય કાંતી ખરાડી, અંબાજી કોંગ્રેસ પ્રમુખ તુલસીરામ જોષી, અશ્વિન ચૌધરી, મેહુલ ગઢવી સહીત કોંગ્રેસ ના નેતાઓ હાજર રહ્યા હતા.

: પવન ખેરા ના ભાજપ પર આક્ષેપ :

તેમણે જણાવ્યું હતું કે આજે અમદાવાદ ખાતે પ્રેસ વાર્તા કરી હતી અને હાલમાં ગુજરાતનાં યુવાનો સાથે અને તેમનાં ભવિષ્ય સાથે જે ખિલવાડ થઈ રહ્યો છે અને ગુજરાતનાં માધ્યમથી આખા દેશમા ડ્રગસનો વેપાર થઈ રહ્યો છે.9 જૂન ના રોજ 25 ટ્રક પકડ્યા હતા નહી અને તે નિકળી ગયા હતા અને પુરા દેશમા ક્યાં ગયા તે ખબર નથી તે મુદ્દે અમે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી બન્ને ગુજરાતનાં હોવા છતાં તેમણે આ મુદ્દે એક શબ્દ કહ્યો નથી. નાર્કોટીક્સ બ્યુરો ના ડીજી ની 18 મહીના થી નિમણુક કરવામાં આવી નથી. અંબાજી મંદિર ના દર્શન કરીને ધન્યતા અનુભવી છે અને દેશ અને ગુજરાતનો વિકાસ થાય તે માટે પ્રાથના કરવામાં આવી હતી તેમ પવન ખેરા એ જણાવ્યુ હતુ. અંબાજી પ્રહલાદ પુજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *