Breaking NewsLatest

ગરીબો અને રોડ રસ્તા પર ભિક્ષાવૃત્તિ કરી પોતાનું જીવન ગુજારનાર લોકોને નવા કપડાંનું વિતરણ કરી દિવાળીની ઉજવણીનો પ્રકાશ આપતા કર્ણદેવસિંહ જાડેજા

જામનગર: વર્લ્ડ પાવર લીફટિંગ ચેમ્પિયન તથા ગુજરાત કિસાન કૉંગ્રેસ ના વાઈસ ચેરમેન અને અનેકવિધ સેવકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અને સેવાકીય પ્રવૃત્તિ માં અગ્રેસર રહેનાર શ્રી કર્ણદેવસિંહ જાડેજા દ્વારા દર વર્ષે દિવાળી નિમિત્તે ગરીબો અને રોડ રસ્તા પર ભિક્ષા વૃત્તિ કરી પોતાનું જીવન ગુજારનાર લોકો ને નવા કપડાં નું વિતરણ કરી દિવાળી ની ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષે પણ વિવિદ્ય સંસ્થાઓ માં અને રોડ રસ્તા પર ભિક્ષા વૃત્તિ કરી જીવન ગુજારનાર લોકો ને નવા કપડાં નું દાન આપી દિવાળી ની ઉજવણી  કરવામાં આવી જેમાં અંધાશ્રમ ખાતે અંધ બાળકો ને કપડાં વિતરણ કરી ત્યાર બાદ વૃધ્ધાઆશ્રમ આણંદા-બાવા લીમડા લાઈન, જિલ્લા જેલમાં મહિલા કેદીઓ અને તેમની સાથે રહેતા બાળકો ને કપડાં વિતરણ કર્યા બાદબાલા હનુમાન મંદિર થી શરૂ કરી મંદિરો તથા રોડ રસ્તા પર ભિક્ષા વૃત્તિ કરનાર તમામ લોકો ને કપડાં વિતરણ દીવાળીની વજવણી કરવા માં આવી હતી.

આ કાર્યક્રમ માં જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા, મહામંત્રી કે.પી બથવાર, તાલુકા કૉંગ્રેસ પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રભાતભાઈ જાટીયા, બાલુભાઈ લુણા, ગિરિરાજસિંહ રાઠોડ, ચંદ્રસિંહ જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, શક્તિસિંહ ચુડાસમા, સિદ્ધરાજસિંહ પરમાર, દિનેશભાઇ કંબોયા વગેરે જોડાયા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાત પ્રદેશ સંગઠનનું પુનઃ નિર્માણ કરાશે

ગુજરાત પ્રદેશ પ્રભારી ધવલ માકડિયા દ્વારા 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ ની નિમણૂંક…

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ યોજાશે

મહેસાણા, સંજીવ રાજપૂત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર,…

1 of 742

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *