Breaking NewsLatest

તારક મહેતાના અબ્દુલ ચાચાએ અંબાજી મંદિર ના દર્શન કર્યાં, અંબાજી ખાતે સોડા પીધી

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. તાજેતરમાં દેવદિવાળી પર્વ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે, ત્યારે હાલમાં પણ માતાજીના ભક્તો અંબાજી ખાતે દર્શન કરવા આવી રહ્યા છે. સોમવારે સવારે દેશની સૌથી પ્રસિદ્ધ સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના અબ્દુલચાચા પોતાના પરિવાર સાથે અંબાજી મંદિર ના દર્શન કરવા આવ્યા હતા. રાજસ્થાનના પાલી તેમનું મૂળ વતન છે અને હાલમાં તેઓ મુંબઇ ખાતે રહે છે. શરદ સાંખલા બૉલીવુડની ઘણી ફિલ્મોમાં પણ અભિનય કરેલ છે.
વહેલી સવારે અંબાજી મંદિર ખાતે તેઓ પોતાના પરિવાર સાથે આવ્યા હતા, અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.અંબાજી મંદિરના ગર્ભગૃહમાં જઈને તેમને માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ ભટ્ટજી મહારાજની ગાદી પર જઈને આશીર્વાદ લીધા હતા. શરદ સાંખલા માતાજીના બહુ મોટા ભક્ત છે.

:- અંબાજીમાં સોડા પીધી :-

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં અબ્દુલચાચા પોતાની સોડા ની દુકાન ધરાવે છે. અંબાજી ખાતે આજે તેમને ખોડીયાર ચોકમાં આવેલી સોડાની લારી પર સોડા પીધી હતી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

1 of 667

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *