Breaking NewsLatest

શ્રી ધર્મભક્તિ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસ ની કરવામાં આવેલ ઉજવણી

ગુજરાત કાઉન્સીંલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જે અંગે માહિતી આપતા લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર નરેશભાઇ એન. ગુંદરણીયા એ તેમના પ્રવચનમાં જણાવેલ કે શ્રીનિવાસ રામાનુજનનો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ મદ્રાસમાં થયો હતો. બાળપણથી જ તેમને ગણિત પ્રત્યે ઘણો લગાવ હતો, રામાનુજન ગણિતમાં સારા નંબરો લાવતા હતા. ગણિતમાં જેટલો રસ હતો તેટલો અન્ય વિષયોમાં નહોતો. પરંતુ તેમને ગણિત સાથે એટલો બધો પ્રેમ હતો કે, તેણે આ વિષયમાં એક અલગ જ ઓળખ બનાવી. માત્ર 12 વર્ષમાં તેણે ત્રિકોણમિતિમાં મહારત મેળવી લીધી.
3 વર્ષની ઉંમરે તેઓ લંડન યુનિવર્સિટીના પ્રોફેસર એસ. આલે. લોનીનું ત્રિકોણમિતિ પરનું વિશ્વ વિખ્યાત પુસ્તક વાંચીને, તેણે પોતાનો ગાણિતિક સિદ્ધાંત બનાવ્યો. તેમણે કોઈની મદદ વિના ખૂબ જ નાની ઉંમરે ઘણા પ્રમેયની રચના કરી. આ વિશેષ યોગદાન માટે ભારત સરકારે તેમને અનેક સન્માનોથી સન્માનિત કર્યા. આ પછી તેણે ઘણા નવા ગાણિતિક સૂત્રો લખ્યા. શ્રીનિવાસ રામાનુજનનું 26 એપ્રિલ 1920 ના રોજ ખૂબ જ નાની ઉંમરે (33 વર્ષ) ટીબી રોગને કારણે અવસાન થયું. 26 ફેબ્રુઆરી 2012ના રોજ, તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે મદ્રાસ યુનિવર્સિટીમાં ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની 125મી જન્મજયંતિની ઉજવણીના ઉદઘાટન સમારોહ દરમિયાન 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસની જાહેરાત કરી હતી.
ત્યારબાદ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે તથા ચગિયા પ્રાથમિક શાળા – ચગિયા મુકામે આયોજિત કાર્યક્રમમાં ગણિત પઝલ, ગાણિતિક રમકડા, વૈદિક ગણિત, નિબંધ સ્પર્ધા, ગણિત મોડેલ વર્કશોપ, ફિલ્મ શો, વકૃત્વ સ્પર્ધા જેવા વિવિધ આયોજનો કરવામાં આવેલ. જેમાં તજજ્ઞ તરીકે વિજયભાઈ કોટડીયા, કકુભા રાઠોડ, ધર્મેશભાઈ મકાણી, પ્રવીણભાઈ મલ્લી હાજર રહ્યા હતા. આ ચાર દિવસીય કાર્યક્રમના અંતે તમામ સ્પર્ધાના વિજેતા પ્રથમ ત્રણ સ્પર્ધકોને ઇનામ, શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

રિપોર્ટ પાયલ બાંભણિયા ગીર સોમનાથ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *