Latest

અરવલ્લી જીલ્લાની નામાંકીત સદભાવના ફોરમની બેઠક શેઠ ફામઁ હમીરપુર ખાતે યોજાઇ હતી

અરવલ્લી
અરવલ્લી જીલ્લાના છેવાડાના માનવીની સુખ શાંતિ અને સમથઁતા માટે પ્રયત્નશીલ સદભાવના ફોરમની બેઠક શેઠફામઁ ખાતે યોજાઇ હતી. નવા વષઁ માટે વિવિધલક્ષી આયોજન જેવા કે શિક્ષણ , આરોગ્ય, સરકારી સેવા, આર્થિક નાદુરસ્ત લોકોને સીધી મદદ જેવા વિવિધ મુદ્દાઓ પર વિવિધ કમિટી ની રચના કરી કામગીરી વધુ વેગવંતી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. આજની મોડાસા ઉપરાંત માલપુર, મેઘરજ, ભિલોડા તાલુકાના અનેક વેપારીઓ, શિક્ષકો , ડોકટસઁ અને મુરબ્બીઓ જોડાયા હતા. આ સુંદર કાર્યક્રમના આયોજનમાં શ્રી ત્રીલોકભાઈ મહેતા અને શ્રી હબીબ ભાઈ શેઠ સાહેબે ખૂબ મહેનત કરી હતી. આ કાર્યક્રમમાં શ્રી અમૃતભાઈ પટેલ, સલીમભાઈ દાદુ, ડો ઇફ્તેખાર મલેક, શ્રી રાકેશભાઈ જોશી, , શ્રી અબ્દુલ રહીમ ભાયલા, અજયભાઈ પંડ્યા વિગેરે મહાનુભાવો દ્વારા વિવિધ મુદ્દાઓ આધારિત વાતચીત પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દિલ્હી થી પધારેલા જમાતે ઇસ્લામી હિંદ ના રાષ્ટ્રીય સચિવ શ્રી મુહમ્મદ શફી મદની શેઠ દ્વારા આં પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા અને આનો વ્યાપ વધે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કોવીડ-19 સ્થિતી સમયે સદભાવના ફોરમની ઉત્કૃષ્ઠ કાગીરીએ અરવલ્લી જીલ્લા હિન્દુ-મુસ્લીમ સમાજમાં ભાઇચારાનુ અનેરુ ઉદાહરણ રજૂ કર્યુ છે.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *