Breaking NewsLatest

સાઠંબા ખાતે યોજાયો નેત્ર નિદાન કેમ્પઃ560 લોકોએ લાભ લીધો.

શ્રીરસિકલાલ મણિલાલ શાહ(USA), સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તથા અંધજન મંડળ અમદાવાદ અને ધી સાઠંબા સહકારી જીન સાઠંબાના સહયોગથી તા. 02, જાન્યુઆરીને રવિવારના રોજ “સાઠંબા હાઇસ્કુલ”માં “નેત્ર નિદાન કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાઠંબા આસપાસના 50 થી વધુ ગામોના લોકોએ વહેલી સવારથી કેમ્પનો લાભ લેવાનું શરૂ કર્યું હતું. કેમ્પમાં કુલ 560 થી વધુ ઓપીડી નોંધાઈ હતી. જેમાંથી 190 દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાઈ હતી.
આજે 60 જેટલા દર્દીઓને “બારેજા” આંખના દવાખાને લઇ જવાયા હતા. બીજા દર્દીઓ તબક્કાવાર સારવાર લેશે.
દર્દીઓ માટે નાસ્તો અને કાર્યકર્તાઓના ભોજનની સેવા સાઠંબાના “પટેલ ભાવેશભાઈ ઈશ્વરભાઈ” તરફથી મળેલ હતી.
સાઠંબાના સ્થાનિક મિત્રોએ નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
અનેક જરૂરિયાત મંદ પરિવારો,વ્યક્તિઓ, કે જે કદાચ ક્યારેય આર્થિક કારણોસર ઓપરેશન ના કરાવી શકતા, તેવા નાના નાના ગામડાના લોકો માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 662

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *