Breaking NewsLatest

શ્રી રસિકલાલ મણિલાલ શાહ(USA), સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તથા અંધજન મંડળ અમદાવાદ અને ધી સાઠંબા સહકારી જીન સાઠંબાના સહયોગથી તા. 02/01/2021 રવિવારના રોજ “સાઠંબા હાઇસ્કુલ”માં “નેત્ર નિદાન કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

👉🏻 સાઠંબા આસપાસના 50 થી વધુ ગામોના લોકોએ વહેલી સવારથી કેમ્પનો લાભ લેવાનું શરૂ કર્યું હતું. કેમ્પમાં કુલ 560 થી વધુ ઓપીડી નોંધાઈ હતી. જેમાંથી 190 દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાઈ હતી.
👉🏻 આજે 60 જેટલા દર્દીઓને “બારેજા” આંખના દવાખાને લઇ જવાયા હતા. બીજા દર્દીઓ તબક્કાવાર સારવાર લેશે.
👉🏻 દર્દીઓ માટે નાસ્તો અને કાર્યકર્તાઓના ભોજનની સેવા સાઠંબાના “પટેલ ભાવેશભાઈ ઈશ્વરભાઈ” તરફથી મળેલ હતી.
👉🏻 સાઠંબાના સ્થાનિક મિત્રોએ નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
👉🏻 અનેક જરૂરિયાત મંદ પરિવારો,વ્યક્તિઓ, કે જે કદાચ ક્યારેય આર્થિક કારણોસર ઓપરેશન ના કરાવી શકતા, તેવા નાના નાના ગામડાના લોકો માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *