Breaking NewsLatest

અરવલ્લીમાં દ્વિતીય દિવસે ૧૩૩૯૦ વિધાર્થીઓને કોરોના સામે સુરક્ષા કવચ પુરૂ પડાયું

કપિલ પટેલ દ્વારાઅરવલ્લી
સમગ્ર રાજયમાં સોમવારથી “૧૫ થી ૧૮ વર્ષના વય જુથના” બાળકોનું કોવિડ-૧૯ રસીકરણ ” હાથ ધરાયું છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પ્રથમ દિવસે ૧૭૯૪૨ વિધાર્થીઓને રસીકરણથી આવરી લેવાયા હતા જયારે દ્વિતીય દિવસે ૧૩૩૯૦ કિશોર-કિશોરીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.


અરવલ્લી કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ જીલ્લાની ૧૭૦ શાળાઓના અંદાજિત ૬૦ હજાર કરતા વધારે બાળકોને રસીકરણથી આવરી લેવા ૨૧૮થી વધુ આરોગ્યની ટીમોની રચના કરવામાં આવી છે. પ્રથમ દિવસે ૧૭૪૯૨ વિધાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું જયારે દ્વિતીય દિવસે બાયડના ૩૪૬૭, ભિલોડાના ૨૦૧૪,મોડાસાના ૩૨૦૨, ધનસુરાના ૯૬૭, મેઘરજના ૨૨૭૨ અને માલપુરના ૧૪૬૮ મળી જિલ્લાના કુલ ૧૩૩૯૦ તરુણ-તરૂણીઓનું કોવિડ-૧૯ અંતર્ગત રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં ૭૧૮૦ કિશોર અને ૬૪૬૫ કિશોરીઓનું સમાવિષ્ટ થાય છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *