Breaking NewsLatest

અરવલ્લી જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે જિલ્લા આરોગ્યતંત્રની તૈયારી અંગે પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

કોરોના સામેની તકેદારી જ જીવનરક્ષક સાબિત થશે

                           – મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોર
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણના દિન-પ્રતિદિન કેસ સામે આવી રહ્યા છે  ત્યારે કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરના અગમચેતી પગલાના ભાગરૂપે વર્તમાન સ્થિતિ અને આયોજન વિશે સમીક્ષા બેઠક ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી.
બેઠકમાં મંત્રીશ્રી કુબેરભાઇ ડિંડોરે જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ અને ગ્રામ્ય કક્ષાએ કેસોની વિસ્તારવાઇઝ સ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, કોરોના ટેસ્ટીંગ, વેક્સીનેશન, ડૉક્ટર, મેડીકલ સ્ટાફની ઉપલબ્ધતા, મેનપાવર, કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર, હોમ આઇસોલેશન, ધનવંતરી રથ, સંજીવની રથ, ૧૦૮, દવાઓની જરૂરીયાતો અને ઉપલબ્ધતા, કોવિડ કેર સેન્ટર, દર્દીઓ માટે કોલ સેંટર સહિત વિવિધ આનુસાંગિક મુદ્દાઓ જરૂરિયાતો તેમજ આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી.
મંત્રીશ્રીએ સરહદી રાજ્યને અડીને આવેલા જિલ્લામાં પ્રવેશતા લોકોનું સઘન ટેસ્ટીંગ થાય તેના પર ખાસ ભાર મુક્યો હતો. તેમણે જિલ્લાવાસીઓને કોરોનાની ત્રીજી લહેરને હળવાશથી ન લેવા અને માસ્ક, સોશિયલ ડિસ્ટંસ અને સેનિટાઇઝેશનનો ખાસ ખ્યાલ રાખવા અનુરોધ કર્યો હતો સાથે જ કોરોનાના સામાન્ય લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવવા અને પૂરતી તકેદારી રાખવા પણ અપીલ કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોર-કિશોરીઓનું રસીકરણની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ સૂચન કર્યુ હતું. આ સાથે પ્રભારી મંત્રી શ્રીએ મોડાસા સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લઇ તેની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી.


આ બેઠકમાં જિલ્લા સમાહર્તા શ્રી નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી શ્વેતા તેવટીયા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, અધિક નિવાસી કલેકટરશ્રી એન.ડી.પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ, જિલ્લા અગ્રણી શ્રી રાજેન્દ્રભાઇ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડો.શ્રીમાળી સહિત જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *