Breaking NewsLatest

શાબાશ….સૈનિક કલ્યાણ ભંડોળ માટે વિદ્યાર્થીઓએ ત્રણ લાખથી વધુ રકમ એકત્ર કરી નાખી.

અમદાવાદ: શહેરના વાડજ ખાતે આવેલ નીમા વિધાલયના વિધાર્થીઓની વિશ્વ ધ્વજ દિવસ નિમિતે ડોનેશન ડ્રાઈવ યોજી 3 લાખથી વધુ રકમ એકત્ર કરી નાખી છે જે ખૂબ જ પ્રશ્સનીય કાર્ય કહી શકાય.

અમદાવાદના નવા વાડજમાં આવેલી નીમા વિધાલયના વિધાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ વર્ષ ૨૦૧૬-૧૭ થી અત્યાર સુધી સાડા ત્રણ લાખથી વધારે રકમ એકત્રિત કરીને ‘વિશ્વ ધ્વજ દિવસ’ નિમિતે સૈનિક કલ્યાણ ભડોળમાં જમા કરાવીને રાષ્ટ્રપ્રેમ માટે બાળકોને પ્રેરણા આપી પ્રોત્સાહિત કર્યા છે. ત્યારે ચાલુ વર્ષ ૨૦૨૧ – ૨૨ના વર્ષમાં પણ વિધાર્થીઓએ એક લાખ રૂપિયા કરતા વધુ રકમ સૈનિક કલ્યાણ ભડોળ માટે ભેગી કરેલ છે. રાષ્ટ્રપ્રેમી બાળકો અને શિક્ષકો અને વાલીઓ ખરેખર અભિનંદન ને પાત્ર છે. આજનું યુવાધન દેશ માટે સજ્જ અને તત્પર જોવા મળી રહ્યું છે તે જાણી ગર્વ અનુભવાય જ. ધન્ય છે વિદ્યાર્થીઓના આ ઉમદા કાર્યને..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *