Breaking NewsLatest

સ્વદેશી બનાવટનું પ્રથમ મિસાઇલ યુદ્ધજહાજ INS ખુકરી સેવા નિવૃત થતાં જહાજને દીવ પ્રશાસનને સૌપાયું.

અમદાવાદ: ભારતીય નૌસેનાના સ્વદેશી બનાવટના પ્રથમ મિસાઇલ યુદ્ધજહાજ, INS ખુકરી (P49)ને 26 જાન્યુઆરી 2022ના રોજ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ (DNHDD) પ્રશાસનને સોંપવામાં આવ્યું હતું. દીવમાં INS ખુકરી મેમોરિયલ પર સુંદર અને ગૌરવપૂર્ણ રીતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં ફ્લેગ ઓફિસર ડોક્ટ્રાઇન એન્ડ કન્સેપ્ટ્ રીઅર એડમિરલ વિજય વિનય ભાવેએ ડિકમિશન (સેવા નિવૃત્ત) કરવામાં આવેલું આ જહાજ ઔપચારિક રીતે DNHDD અને લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશના આદરણીય પ્રશાસક શ્રી પ્રફુલ પટેલને સોંપ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય નૌસેનાના બેન્ડ દ્વારા મોહક પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું અને એન્કરેજ (લંગાર સ્થળે) નૌસેનાના જહાજોમાં રોશની કરવામાં આવી હતી.

આ જહાજ સોંપવામાં આવ્યું તે પહેલાં, શ્રી પ્રફુલ પટેલે આસપાસમાં ચકાસણી કરી હતી અને આ જહાજ સેવામાં હતું ત્યારે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને તેની ક્ષમતાઓ વિશે પ્રફુલ પટેલને માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે સંબોધન આપતા, એડમિરલ ભાવેએ INS ખુકરીની ઘરવાપસીની સફર શરૂ કરવા માટે પ્રશાસકે હાથ ધરેલી આ પહેલ બદલ ઊંડાણપૂર્વકની પ્રશંસાની ભાવના વ્યક્ત કરી હતી. તેમણે કેપ્ટન મહેન્દ્ર નાથ મુલ્લા, MVC અને પ્રથમ INS ખુકરીના બહાદુર જવાનોના બલિદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમની સ્મૃતિમાં દીવમાં ભવ્ય સમર્પિત સ્મારક છે.

જાહેર જનતા ડિકમિશન કરવામાં આવેલા ખુકરી જહાજની મુલાકાત લઇ શકે તે માટે તેને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવાનું દીવ પ્રશાસનનું આયોજન છે. આ સંગ્રહાલય હાલમાં રહેલા ખુકરી સ્મારકની નજીકમાં ઉભું કરવામાં આવશે જ્યાં પ્રથમ INS ખુકરી (F149)નું નાના કદનું સંસ્કરણ રાખવામાં આવ્યું છે. આ જહાજ બ્લેકવૂડ ક્લાસ એન્ટી સબમરીન યુદ્ધ જહાજ હતું.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *