Breaking NewsLatest

પ્રાંતિજ તાલુકાના રામપુરા આમોદરા ગામે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ થતાં ઉગ્ર વિરોધ..

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુરા ગામે રામપુરા ચોકડી નજીક રહેણાંક વિસ્તારમાં નિતિનિયમોની ઐસી કી તૈસી કરીને કોમર્શિયલ બાંધકામ કરવામાં આવતા આ વિસ્તારમાં રહેતા લોકોએ નિતિનિયમોમા આને રોડથી અંતરમર્યાદામાજ બાંધકામ કરવામાં આવે તેમજ રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ ના કરવામાં કામ અટકાવી દેવામાં આવે તે માટે ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરતાં આને આ મુદ્દો ચર્ચાસ્પદ બનતાં હલચલ મચી જવા પામી છે.એટલુજ નહીં પણ આ કોમર્શિયલ બાંધકામ કરનારા ખૂદ રાજકારણી અને કાયદાના જાણકાર હોવા છતાંય અંગત લાભ માટે આવી કામગીરી કરતા લોકોમાં ખેદ પેદા થવા પામ્યો છે. રામપુરા આમોદરામા રામપુરા ચોકડી નજીક જૂના સર્વે નંબર એક જેમિ પટેલ ભગવાનદાસ પુંજાભાઈ(હાલમા કાર્યરત સરપંચ) તેમજ પ્લોટ નંબર ચોત્રીસ માં પટેલ અજયભાઈ નરસિંહભાઇ (સરકારી શિક્ષક)ના નામે આ પ્લોટો છે આજ પ્લોટ રેસીડેન્સી રહેણાંક વિસ્તારમાં છે અને હાલ કોમર્શિયલ દુકાનોનું બાંધકામ વેગથી ચાલુ થતાં આને તાલુકા પંચાયત ના મહિલા સદસ્ય ના પતિ દ્વારા કોમર્શિયલ બાંધકામ થતાં આ વિસ્તારના રહેણાંક ના લોકોએ ભવિષ્યમાં પડનાર મુશ્કેલી સંદર્ભે જિલ્લા કલેકટર થી માંડી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.જોકે રાજકારણના આ અઠંગ ખેલાડીઓ તેમનું કોઈ કશુંજ નહીં બગાડી શકે એ વહેમ થી આગળ વધી રહ્યા છે ત્યારે જોઈએ સત્યનો વિજય થાય છે કે પછી……શું ..ની લોકો રાહ જોઇ રહ્યા છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *