Latest

ટપાલ વિભાગમાં વીમા એજન્ટ બનવા માટે “વોક ઇન ઇન્ટરવ્યું”

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા ટપાલ વિભાગમાં જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમા એજન્ટની નિયુક્તિ માટે વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. અધિક્ષકની કચેરી સાબરકાંઠા હિંમતનગર હેડ ઓફિસ ખાતે તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સવારે ૯:૩૦ કલાકથી ૧૮:૦૦ કલાક રાખવામાં આવેલ છે
લાયકાત:
૧૮ થી ૫૦ વર્ષ, ધોરણ ૧૦ પાસ અથવા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અધિકૃત શૈક્ષણિક લાયકાત,
પાત્રતા
ભૂતપૂર્વ વીમા સલાહકાર, આંગણવાડી કાર્યકર, મહિલા મંડળ કાર્યકર, એક્સ સર્વિસ મેન, નિવૃત શિક્ષકો, બેરોજગાર, સ્વરોજગાર યુવાનો, પંચાયત સંચાર સેવા કેન્દ્ર એજન્ટ, પોસ્ટ ઓફિસના એસ.એસ.એ./એમ.પી.કે.બી.વાય એજન્ટ, વીમા કંપનીના ભૂતપૂર્વ એજન્ટ અને કોઈપણ કામ કરવા ઈચ્છુક વ્યક્તિ
પ્રાથમિકતા
વીમા વેચવાનો અનુભવ, કોમ્પ્યુટર ની જાણકારી ધરાવનાર, સ્થાનિક ક્ષેત્રની જાણકારી ધરાવનાર, કમિશન કે ઈન્સેન્ટિવ સરકારશ્રીના નિયમોનુસાર મળશે. જે વ્યક્તિની એજન્ટ તરીકે પસંદગી થશે તેમણે પાંચ હજારના કે.વી.પી કે એન.એસ.સી. સિક્યુરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવવાના રહેશે. ઉમેદવારોએ બાયોડેટાની સાથે પાસપોર્ટ સાઇઝના ફોટા, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ અન્ય કે.વાય.સી ડોક્યુમેન્ટ અને અનુભવ સર્ટિફિકેટની ખરી નકલ અને ઓરીજનલ સર્ટિફિકેટ સાથે લાવવાના રહેશે. એમ અધિક્ષક ડાકધર વિભાગ હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *