Breaking NewsLatest

અંબાજી ખાતે માતાજીના ચાચર ચોકમાં સિદ્ધપુરના શ્રી શકિત મંડળના ભજન કીર્તન યોજાયા

ત્રણ પેઢી થી અવિરત ચાલતા શ્રી શકિત મંડળની જગત જનની જગદંબાના ધામમાં અનોખી ભક્તિ

ગુજરાત અને રાજસથાનની સરહદે આવેલું જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા ૭૫ વર્ષ થી સિધ્ધપુરના ત્રણ પેઢી થી ચાલતા શ્રી શકિત મંડળ દ્વારા અંબાજી ખાતે આવેલ મુંબઈ વાળી ધર્મશાળામાં મહા સુદ તેરસ થી પૂનમ સુધી માતાજીને કાલા ઘેલા ભજનો ગઈ માતાજી ની ભક્તિ કરે છે. શ્રી શકિત મંડળ દ્વારા મહા સુદ તેરસ નાં દિવસે દિવસ દરમિયાન માતાજી ના ભજન કરી સાંજ ના સમય કોટેશ્વર ખાતે સરસ્વતી નદીના ગૌ મુખ ની પૂજન અર્ચન કરે છે ત્યાર બાદ ચૌદસ નાં દિવસે સાંજે ગબ્બર ગોખ પર પગપાળા જઈ ને ઘજા રોહોણ કરે છે ત્યાર બાદ પૂનમ દિવસે સાંજે સમગ્ર શહેરમાં માતાજી ની સવારી નીકળી માતાજીના ચાચર ચોકમાં ગરબા કરે છે.

સિદ્ધપુર નાં શ્રી શકિત મંડળ ની સ્થાપના શ્રી ચંદુલાલ આચાર્ય એ કરી હતી ત્યાર બાદ તેમનો વારસો તેમના પુત્ર રોહિત ભાઈ આચાર્ય અને પુનિત ભાઈ આચાર્ય એ જાળવી રાખ્યો છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

1 of 714

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *