Latest

અરવલ્લી જિલ્લા ખોબા જેવડા નાનકડા સુરાના પહાડિયા ગામ નો સેકંડ નેવીગેશન ઓફિસર ની પદવી ધરાવતો વીરેન્દ્ર પટેલ ભારત સરકાર ની કમ્પની નું જહાજ ચલાવી અરવલ્લી જિલ્લો અને માલપુર તાલુકા પાટીદાર સમાજ નું ગૌરવ વધાર્યું

માલપુર તાલુકામાં બે એવા રતન છે એક નેવિગેટર એક એવિગેટર ચાલક

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લા ના માલપુર તાલુકાના અંતરીયાળ એવા નાનકડા ખોબા જેવડા સુરાના પહાડીયા ગામના ના વતની સ્વ.નાથાભાઈ રંગાભાઈ ના પૌત્ર અને મણીભાઈ નાથાભાઈ પટેલ હાલ રહેવાસી મુંબઈ પનવેલ ના પુત્ર વિરેન્દ્ર મણીભાઈ પટેલે ધોરણ 1 થી 10 ઈંગ્લિશ મીડીયમ આદ્યક્રાંતિવીર વાસુદેવ બળવતફડકે વિધાલય માં અભ્યાસ કરી ધોરણ દસ સ્ટેટ બોર્ડ માં 82 ટકા સાથે પાસ કરી ધોરણ 12 માં 72 ટકા સ્ટેટ બોર્ડ માં સાયન્સ ના ફીજીકસ, કેમેસ્ટ્રી, ગણિત, બાયલોજી વિષય સાથે 72 ટકા સાથે પાસ કર્યા બાદ ત્રણ વર્ષ બેચલર ઓફ સાયન્સ ઇન નોટીકલ સાયન્સ (એમ.આઈ.ટી.) પુના ની મહારાષ્ટ્ર ઈન્સ્ટ્રુસ્યુંસ્ટીયુટ ઓફ ટેકનોલોજી માં 75 ટકા સાથે ફર્સ્ટ કલાસ મેળવી પાસ થતાં કોલેજ માં પ્લેસમેન્ટ માં ગોલાફ્લોરેસ કંપની માં ટ્રેઇની ઓફિસર તરીકે જહાજ પર એક વર્ષ પૂર્ણ કર્યા બાદ ભારત સરકાર ની ડાયરેક્ટર જનરલ ઓફિસર ની પરીક્ષા મુંબઇ ખાતે લેવાયેલ જેમાં લાઈસન્સ મેળવી જુનિયર ઓફિસર તરીકે નોકરી મળી ત્યાર બાદ મુખ્ય લાઈસન્સ મેળવી છેલ્લા સાત વર્ષ થી જહાજ ચલાવી રહેલા વિરેન્દ્ર પટેલે હાલમાં સેકન્ડ ઓફિસર તરીકે દોહકતાર નામ ની કતાર દેશ ની કંપની માં મિલાહા શિપ મેનેજમેન્ટ હાલ ફરજ બજાવી રહ્યા છે વીરેન્દ્ર પટેલે સમગ્ર ગુજરાત વાસીઓ ના વાલીઓ અને બાળકો ને જહાજ ચલાવવા ની કોઈપણ પ્રકાર નું અભ્યાસમાં અને અભ્યાસક્રમ બાબતે વતનના લોકો માટે પોતાનો મેલ એડ્રેસ પર સંપર્ક કરી માહિતી અને માર્ગદર્શન મેળવી અભ્યાસ કરી નોકરી મેળવી શકે છે


અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના બાવન ગામ લેઉવા પાટીદાર સમાજ નું ગૌરવ વધારતાં સમાજ અને જિલ્લા ના અસંખ્ય લોકોએ અભિનંદન ની વર્ષા વરસાવી હતી.. ઉતરોત્તર પ્રગતિ ની શુભેચ્છાઓ પાઠવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *