Breaking NewsLatest

ઝૂલતા પુલ દુર્ઘટના ને લઈ ને મોરબી ચીફ ઓફિસર નું પોલીસ દ્વારા નિવેદન શરૂ

 

 

મોરબી : 135 લોકોનો જીવ લેનારી ઝૂલતા પુલ દુર્ઘટનામાં આજથી તપાસ વેગવંતી બની હોવાના અણસારો વચ્ચે તપાસનીશ અધિકારી ડીવાયએસપી ઝાલા દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

મોરબીમા 30 ઓક્ટોબરના રોજ ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં પુલ રીનોવેશન કરવાની સાથે સાર સંભાળની જવાબદારી લેનાર ઓરેવા કંપનીના બે મેનેજર સહિત નવ આરોપીઓ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ અને ધરપકડ બાદ તપાસનો દૌર આજે આગળ વધ્યો હોય તેમ નાયબ જિલ્લા પોલીસવડા અને તપાસનીશ અધિકારી દ્વારા આજે નગરપાલિકાના ચીફ ઓફિસરની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે નગરપાલિકા અધિનિયમની જોગવાઈ મુજબ કોઈપણ કરાર કે કોન્ટ્રાકટ માટે જનરલ બોર્ડની મંજૂરી જરૂરી હોય છે પરંતુ ઝૂલતો પુલ રીપેરીંગ અને પુનઃ શરૂ કરવાના આ કિસ્સામાં જનરલ બોર્ડ જ મળ્યું ન હોય ઠરાવ કર્યા વગર જ બારોબાર ઓરેવા કંપનીને કામ સોંપી દેવામાં આવ્યું હોય તે સહિતની બાબતોને લઇ પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

અહેવાલ અભિષેક પારેખ મોરબી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *