Latest

જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારી નાં કાર્યકાળમાં થયેલ તપાસ ની પુનઃ તપાસ કરવા માંગ

યુવા કોળી સમાજ ના પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા ની ઉચ્ચ કક્ષા એ રજુવાત

ગીર સોમનાથ જિલ્લા માં તાજેતર ના જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી શ્રી દ્વારા પ્રાથમિક શિક્ષકોની તેમના હાજર થયા થી આજદિન સુધી ની તપાસ ની પુનઃ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

તાજેતર નાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નાં કાર્યકાળ દરમિયાન નાણાકીય વર્ષ ૨૦૨૧/૨૨ અને ૨૨/૨૩ સુધીની તપાસ કરી, આ ચાલુ વર્ષ દરમિયાન પ્રાથમિક શિક્ષકોની ખાતાકીય તપાસ, ગંભીર પ્રકાર ની ભૂલોની તપાસ, સર્વ શિક્ષા માં થયેલ બાંધકામ ની તપાસ જેવી અનેક વહીવટી તપાસ કરવામાં આવે.

તેમજ પ્રાથમિક શિક્ષકો સામે આવેલ ફરિયાદ બાદ તેમની તપાસ અહેવાલ ની તપાસ કરવામાં આવે અને કસૂરવાર શિક્ષકો સામે લીધેલ પગલાં ની તપાસ કરવામાં આવે અને આ કશુર વાર શિક્ષકો સામે તેની ફરિયાદ અન્વયે જે પગલાં લીધાં છે તે યોગ્ય છે કે કેમ, તેમાં મામકાવાદ થયો છે તેની તપાસ કરવામાં આવે.

સામાજિક, રાજકીય આગેવાનો, પદાધિકારીઓ દ્વારા સરકાર શ્રી ની યોજનાકીય કે ગ્રાન્ટ સર્વ શિક્ષા માં થયેલ બાંધકામ ની તપાસ ની ફરિયાદ કે તપાસ બાબતે રજુઆતો કરવામાં આવી હોય તે રજુઆતો કે તપાસ અન્વયે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એ તપાસ કરેલ હોય તેની પણ ચકાસણી કરવામાં આવે, વીજળીકરણ અને પાણી ની સુવિધાઓ બાબતે આ વર્ષો દરમિયાન એક કરતાં વધારે વખત અમુક અને ચોક્કસ શાળાઓ ને ફાળવવામાં આવી છે અને અન્ય શાળાઓ ને અન્યાય થયો હોય તેમજ સરકારી વાહન ની એમ.બી. ની તપાસ કરી. ટ્રાન્સપોર્ટ ગ્રાન્ટ ની ફાળવણી અને મંજૂરી ની તપાસ કરવામાં આવે તેવી માંગ થઈ છે.

આ મુદ્દાઓની રાજ્ય કક્ષા નાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તટસ્થ ટીમ બનાવી તપાસ કરવામાં આવે તેવી રસિક ચાવડા દ્વારા
જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ગીર સોમનાથ તેમજ અગ્ર સચિવશ્રી
શિક્ષણ વિભાગ,ગાંધીનગર,
ડો.વિનોદ રાવ સાહેબ
સચિવ શ્રી શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ગાંધીનગર,
ડો. રતનકંવર ગઢવી ચારણ સાહેબ
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સર્વ શિક્ષા અભિયાન
ગાંધીનગર,વિજિલન્સ કમિશન,

ગુજરાત તકેદારી આયોગ,ગાંધીનગર પાસે તપાસ ની માંગ કરી છે.હવે આ બાબતે તપાસ થશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે.અત્રે ઉલ્લેખનીય છેકે કે જ્યારથી આ જિલ્લા માં પ્રાથમિક શિક્ષણ અધિકારી આવ્યા છે ત્યાર થી મામકવાદ ચલાવતા હોય અને તપાસો માં એક તરફી અભિગમ રાખતા હોય તેવી શિક્ષકો માં ચર્ચા થઈ રહી છે.ત્યારે તેના કાર્યકાળ ની તપાસ થાય તેવી માંગ થઈ રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *