Latest

પોલ અને ટ્રાન્સફોર્મર સહિતની કામગીરી ત્વરાએ કરવા જરૂરી સૂચનાઓ આપતા રાજ્યમંત્રીઓ

કચ્છ: બિપરજોય વાવાઝોડાના પરિણામે કચ્છ-ભુજમાં ધરાશાયી થયેલા વીજપોલ પૂર્વવત કરવા તેમજ વીજ પુરવઠો પુન: ઉપલબ્ધ થાય તે માટે પીજીવીસીએલ ટીમ અને વીજ કર્મચારીઓ સતત કાર્યરત છે, ત્યારે રાજ્યના બંને મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લઈ વીજ પુરવઠામાં થયેલી ક્ષતિ જાણીને વીજ પોલ અને ટ્રાન્સફોર્મર સહિતની કામગીરી ત્વરાએ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.

તો બીજી તરફ સ્થિતિ સામાન્ય બનતા જ સમગ્ર સ્થળોએ ફરી વીજળી પહોંચાડવામાં આવી રહી હોવાનું પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું.

કચ્છ-ભુજ કલેકટર કચેરી ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ PGVGL તથા વીજ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને બિપરજોય વાવાઝોડામાં પ્રભાવિત વિસ્તારમાં બંધ પડેલ વીજળીને સત્વરે પુનઃસ્થાપન કરવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા. સ્થિતિ સામાન્ય બનતા જ સમગ્ર સ્થળોએ ફરી વીજળી પહોંચાડવામાં આવી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *