Latest

નવ વર્ષ નરેન્દ્ર મોદી સરકારના, નવા ભારતનું નિર્માણ, જનજનનું કલ્યાણ

ભરૂચ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશાળ જનસભાનું જનસંપર્ક અભિયાન હેઠળ આયોજન

– 2024 માં પણ ભરૂચમાં 5 લાખ મતોની સરસાઈથી કમળ ખીલવવા આહવાન

– ભારતની વિકાસગાથાની આજે વિશ્વ લઈ રહ્યું છે નોંધ, લઘુ ભારત એવા ભરૂચનો પણ સિંહફાળો

ભરાતીય જનતા પાર્ટીના સેવા સુશાસનના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં ભાજપ પ્રદેશ દ્વારા દરેક રાજ્યોમાં એક મહિના સુધીના કાર્યક્રમોના આયોજન કર્યા હતાં. જેના ભાગરૂપે સ્વામિનારાયણ મંદિર ઝાડેશ્વર ખાતે ભરૂચ લોકસભા 22 ની વિશાળ જનસભાનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

ભાજપના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના સેવા સુશાસનના 9 વર્ષ પૂર્ણ થતાં ભાજપ પ્રદેશ મોરચા દ્વારા દરેક રાજ્યના છેવળાના માનવીને ભાજપના સેવા સુસાસનના 9 વર્ષ પૂર્ણ થતાં એક મહિનાના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતાં.

જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આજે રોજ 1લી જુલાઈના રોજ ભરૂચના ઝાડેશ્વરના સ્વામિનારાયણ મંદિર સામે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા અને ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપભાઈ વાઘેલાની હાજરીમાં વિશાળ જન સભાનું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ મોદી સરકારના સફળતાના 9 વર્ષ પૂર્ણ થવાથી દેશના લોકોને મળેલી અનેક સરકારી યોજનોની થયેલા લાભો અને શિક્ષણમાં વધેલા ગ્રાફનો ચિતાર આપ્યો હતો.

જ્યારે ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપભાઈ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો કરીને કોઈ પણ કાર્ય નરેન્દ્ર મોદી દ્વારા જ થાય હોવાનું જણાવ્યું હતું. તેમણે પાવાગઢ,ઉજ્જૈન,અયોધ્યામાં ભવ્ય રામ મંદીર નિર્માણ માટે મોદી સરકાર દ્વારા જ શક્ય બન્યું હોવાનું જણાવ્યું હતું.

વધુમાં આ વર્ષે લોકસભાની ચૂંટણીઓમાં 5 લાખથી વધુ મતોથી ઉમેદવારને જીતાડવા માટેનું પણ લોકોને આહવાન કર્યું હતું. સંમેલનમાં જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખ વસાવા, ભરૂચ લોકસભા મતવિસ્તારના ધારાસભ્ય પૈકી રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડી.કે.સ્વામી, રીતેશ વસાવા, કરજણ ના ધારાસભ્ય અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિત જિલ્લાના આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો મોટી લસંખ્યામાં જોડાયા હતા.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *