Breaking NewsGujaratOther

ગારિયાધાર તાલુકામાં નાની વાવડી ખાતે પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ કરતાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા.

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામે સ્વ.ફુલીમા નથુભાઈ નારોલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી વશરામભાઈ બી. નારોલા અને શ્રી ધરમશી બી. નારોલાના સૌજન્ય થી નવનિર્મિત નાની વાવડી પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા કરવામાં આવ્યું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,શિક્ષણ ભવનનું નિર્માણ એક નિષ્કામ કર્મયોગનું કાર્ય છે. આ જ્ઞાનયજ્ઞ માટે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ નિરંતર કાર્યો કરતા રહે છે.

તદુપરાંત મંત્રીશ્રીએ જણાવ્યું કે,રાજ્યની શાળાઓમા્ આધુનિક કમ્પ્યુટર લેબ નિર્માણ કરવામાં આવ્યું છે અને નવા ઓરડા હજુ બાંધકામની પ્રક્રિયામાં છે. વૈશ્વિક શિક્ષણ સાથે હવે આવનાર સમયમાં આધ્યાત્મિક શિક્ષણ પણ રાજ્યની શાળામાં આપવામાં આવશે.

શિક્ષણ ભવનનું નિર્માણ એક નિષ્કામ કર્મયોગનું કાર્ય છે ત્યારે આ શિક્ષણરૂપી જ્ઞાન યજ્ઞ નિરંતર ચાલુ રહે તેના માટે મંત્રીશ્રી એ સર્વ ગ્રામજનો ને વિદ્યા સંકુલમાં સ્વછતા જાળવવાનું પણ આહવાન આપ્યું હતું.

લોકાર્પણ ના આ પ્રસંગે કથાકારશ્રી જીગ્નેશ દાદા, ડી.પી.ઈ.ઓ શ્રી એમ.પી.બોરીચા, નાની વાવડી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી કિરણભાઈ પટેલ, દાતાશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોલવડા ખાતે ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો – 477 દર્દીઓની આંખોની તપાસ, 65 મોતીયા ઓપરેશન માટે પસંદગી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી ધનસુરા તાલુકાના કોલવડા ગામે મોડાસા તાલુકા ડુંગરવાડા…

કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તળાજા આઈ.ટી.આઈ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ…

કુલ રૂ.૧૦,૧૮૩/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી મંદિર ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

1 of 382

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *