Breaking NewsGujaratOther

ગારિયાધાર તાલુકામાં નાની વાવડી ખાતે પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ કરતાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા.

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામે સ્વ.ફુલીમા નથુભાઈ નારોલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી વશરામભાઈ બી. નારોલા અને શ્રી ધરમશી બી. નારોલાના સૌજન્ય થી નવનિર્મિત નાની વાવડી પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા કરવામાં આવ્યું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,શિક્ષણ ભવનનું નિર્માણ એક નિષ્કામ કર્મયોગનું કાર્ય છે. આ જ્ઞાનયજ્ઞ માટે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ નિરંતર કાર્યો કરતા રહે છે.

તદુપરાંત મંત્રીશ્રીએ જણાવ્યું કે,રાજ્યની શાળાઓમા્ આધુનિક કમ્પ્યુટર લેબ નિર્માણ કરવામાં આવ્યું છે અને નવા ઓરડા હજુ બાંધકામની પ્રક્રિયામાં છે. વૈશ્વિક શિક્ષણ સાથે હવે આવનાર સમયમાં આધ્યાત્મિક શિક્ષણ પણ રાજ્યની શાળામાં આપવામાં આવશે.

શિક્ષણ ભવનનું નિર્માણ એક નિષ્કામ કર્મયોગનું કાર્ય છે ત્યારે આ શિક્ષણરૂપી જ્ઞાન યજ્ઞ નિરંતર ચાલુ રહે તેના માટે મંત્રીશ્રી એ સર્વ ગ્રામજનો ને વિદ્યા સંકુલમાં સ્વછતા જાળવવાનું પણ આહવાન આપ્યું હતું.

લોકાર્પણ ના આ પ્રસંગે કથાકારશ્રી જીગ્નેશ દાદા, ડી.પી.ઈ.ઓ શ્રી એમ.પી.બોરીચા, નાની વાવડી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી કિરણભાઈ પટેલ, દાતાશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

1 of 363

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *