Latest

યુવા મતદાર મહોત્સવ – ૨૦૨૩

મતદાર જાગૃતિ અને કેળવણી અભિયાન અંતર્ગત*
*આણંદ જિલ્લામાં “યુવા મતદાર મહોત્સવ” યોજાશે

“યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩” અંતર્ગત બે વિભાગમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે

તા. ૩૦ ડિસેમ્બર સુધી કૃતિઓ મોકલવાની રહેશે

આણંદ, મંગળવાર :: ભારતના ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ અનુસાર મતદાર જાગૃતિ અને કેળવણી અભિયાન (SWEEP) અંતર્ગત દર વર્ષે યુવા મતદાર મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે  ચાલુ વર્ષે પણ “યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩”નું આયોજન કરવામાં આવ્યું છે.

“યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩” અંતર્ગત બે વિભાગમાં વિવિધ સ્પર્ધાઓનું ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજયકક્ષાએ આયોજન કરવામાં આવ્યું છે.

જે અનુસાર કેટેગરી-અ માં મતદાર જાગૃતિ અંગેનો ઓડિયો/ગીત સંદેશ, શોર્ટ વીડિયો, ઇ-પોસ્ટર્સ જેવી સ્પર્ધાઓ જયારે કેટેગરી-બ માં ટેગલાઇન/સુત્ર અને પોસ્ટર ડીઝાઇન જેવી સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ સ્પર્ધાઓ પૈકી વિભાગ-૧માં માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળા/કોલેજના, ધોરણ-૯ થી ધોરણ-૧૨ અને વિજ્ઞાન/વિનયન/વાણિજિયક/તબીબી/એન્જીનીયરીંગ તેમજ અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ/કોલેજો તથા ITIના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિભાગ -૧ની કૃતિ જે તે શૈક્ષણિક સંસ્થાના આચાર્થને તા. ૩૦ ડિસેમ્બર સુધી રજૂ કરવાની રહેશે.

વિભાગ-૨માં ૧૮ થી ૩૦ વર્ષની વય જૂથના સામાન્ય મતદાર તરીકેની લાયકાત ધરાવતાં પરંતુ મતદાર તરીકેની નોંધણી માટે અરજી કરલે હોય તેવા તમામ નાગરિકો ભાગ લઈ શકશે.

આ ઉપરાંત આ વિભાગમાં બૂથ લેવલ અધિકારીઓ, શિક્ષકો, ચુનાવ પાઠશાળાના સભ્યો, મતદાર સાક્ષરતા ક્લબના સભ્યો, વોટર અવેરનેસના નોડલ અધિકારીઓ તથા સભ્યો ભાગ લઈ શકશે. વિભાગ-રની કૃતિ જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી, આણંદ ખાતે તા. ૩૦ ડિસેમ્બર સુધી રજૂ કરવાની રહેશે.

“યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩” અંગે ૧૯૫૦ (ટોલ ફ્રી) નંબર પર સંપર્ક કરી વધુ જાણકારી મેળવી શકાશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી દ્વારા જણાવાયું છે.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *